રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો.. જિલ્લામાં બે દિવસથી ધૂળની ડમરીઓ સાથે પવનની ગતિ તેજ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ. કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો. આ ઉપરાંત સાબરકાંઠાના ઇડરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો ત્યારે વરસાદ પડકા ખેડૂતોને પાકમાં નુકસાની થવાનો ડર છે. ખેડૂતોએ સંગ્રહ કરાયેલા ઘઉંને નુકસાન થવાની ચિંતા છે.
રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયકોલનિક સરક્યુલેશનથી સોમવારે અમદાવાદમાં ગરમીનો પારો 3.7 ડિગ્રી ગગડીને 38.5 ડિગ્રી થયો હતો. જેથી ગઇકાલે બપોર પછી ઝડપી પવન ફુંકાયો હતો. જ્યારે આજે રાજ્યના અનેક જીલ્લાઓમાં કમોસમી વરસાદ થયો છે.
ઈડર
સાબરકાંઠાના ઇડરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ત્યારે વરસાદ પડકા ખેડૂતોને પાકમાં નુકસાની થવાનો ડર છે. ખેડૂતોએ સંગ્રહ કરાયેલા ઘઉંને નુકસાન થવાની ચિંતા છે.
રાજકોટ
આ તરફ રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં ધૂળની ડમરી સાથે વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. પડધરી તાલુકામાં પવન સાથે એકાએક વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ આવતા ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા છે. રાજકોટના પડધરીમા વરસાદ પડ્યો હતો. અહીં ભારે પવન અને વરસાદના કારણે કોંગ્રેસના લલિત કગથરાનું કાર્યાલય તૂટી પડ્યું હતું.
સૌથી વધુ અસર કચ્છમાં
વાતાવરણની સૌથી વધુ અસર કચ્છમાં જોવા મળી. કચ્છના રાપર તાલુકાના થાનપર ગામમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. જે દિવસોમાં ગરમી દઝાડતી હોય તે દિવસોમાં બરફના કરા પડતા લોકોને પણ આશ્ચર્ય થયું છે. ઉલ્લેખનિય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને આગામી 24 કલાક વાતાવરણ વાદળછાયું રહેવાની સાથે કમોસમીનો કહેર જોવા મળશે તેવી શક્યતા હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે.
મોરબી
મોરબીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. મોરબીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી ગયો છે. ભર ઉનાળે વરસાદી માહોલ બનતા ગરમીમાંથી તો રાહત મળી છે, પરંતુ ખેતીના પાક માટે આ વરસાદ નુકસાન કારક સાબિત છે. ખેડૂતો આ કમોસમીથી ચિંતિત છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 24 કલાક હજુ વાદળછાયું વાતાવરણ રહી શકે છે.