દેશનું સૌથી સુખી અને સમૃદ્ધ ગામ છે. પૈસાદાર ગામ. જ્યાં ઘરે-ઘરે બુદ્ધિજીવીઓ રહે છે.પરંતુ તે બુદ્ધિજીવીઓને પણ એક ઠગ બુદ્ધિજીવી દંપત્તી લૂંટી ગયું. એવું ઠગ દંપત્તિ જેણે ગામમાં કોટક મહિન્દ્રાની બોગસ શાખા તો ખોલી જ. પરંતુ બુદ્ધિજીવીઓને ફસાવી લાખો રૂપિયા પણ ખંખેર્યા અને રાતો-રાત ગાયબ થઈ ગયા.
ઠગાઈનો આશ્ચર્યજનક કિસ્સો
મોટી બેંકના નામે ખોટી બ્રાંચ
FD લઈ થઈને દંપતિ થઇ ગયું રફુચક્કર
મહેનત કરી...પૈસા કમાયા. પરંતુ પૈસા બેંકમાં મુકતા પહેલા ખરાઈ કરવાનું ભૂલી ગયા... કે બેંક તો છેને યોગ્ય...? પરિણામ આવ્યું.. બેંકે રાતમાં ઉઠામણું કર્યું.. લોકોના કરોડો લઈને ઠગ જતો રહ્યો.
આ કિસ્સો કાોઈ અન્ય દેશનો કો અન્ય રાજ્યનો નહીં પરંતુ આપણા ગુજરાતના સૌથી સુખી અને વાઈબ્રન્ટ ગામ ધર્મજનો છે. જ્યાં કોટક સિક્યુરિટીના નામે એક ઠગ દંપતિએ બેંકની બ્રાન્ચ ખોલી નાખી. લોકોએ લાખો રૂપિયા રોક્યા અને રાતો-રાત બેંક લાખો રૂપિયા ચાઉં કરી ગાયબ થઈ ગઈ. લોકો કાંઈ સમજે-વિચારે..કો પોતાના પૈસા પરત નિકાળે તે પહેલા તો બેંક જ ગાયબ હતી.
લોકો સામે આવવા તૈયાર નથી
લોકો આક્રોષમાં છે, ચિંતામાં છે.દુ:ખી છે.આઘાતમાં છે. છતાં લોકો સામે આવવા માટે તૈયાર નથી. તો કોટલાક લોકો સામે પણ આવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે, આ ઠગ દંપતીએ આજ ગામને કેમ નિશાન બનાવ્યું અને આ કાૌભાંડને અંજામ કેવી રીતે આપ્યો. ?
કનક શાહ નામના એક ભેજાબાજે કર્યું કૌભાંડ
આપને જણાવી દઈએ કે, દોઢ માસ પહેલા કનક શાહ નામના એક ભેજાબાજે ધર્મજમાં ભાડાના મકાનમાં કોટક સિક્યુરિટીઝના નામે શાખા શરૂ કરી અને ગામના મોટા માથાઓને બોલાવી બેંકની શરૂઆત કરી. અહીં ભેજાબાદ દંપત્તીએ લોકોનો વિશ્વાસ કેળવવા માટે ગામના જ બે યુવનોને નોકરીએ રાખ્યા. જે બાદ ગામના લોકોને ધીરે ધીરે આ બે યુવનોના માધ્યમથી વિશ્વાસમાં લઇ આ બેંકમાં રોકાણ કરવાનો આગ્રહ કરાવ્યો.
40 લાખ થી વધુ રૂપિયા બેંકમાં થયાં જમા
લોકોએ પણ વિશ્વાસમાં આવી 40 લાખ થી વધુ રૂપિયા બેંકમાં ફિક્સ ડિપોઝીટ તરીકો જમા કરાવ્યા. બેજાબાજ એટલા ચાલાક હતા કે, બેંકમાં રોકડ સ્વરૂપે જ મુડી સ્વીકારતા હતા. પરંતુ સવાલ એવો પણ થતો હશે કે, આ કાૌભાંડનો ભાંડો કોવી રીતે ફૂટયો. કેવી રીતે આ બેંક અચાનક રાતમાં ઉઠી ગઈ. તો આપને જણાવી દઈએ કે, ગામનો જ એક રોકાણકાર થોડા દિવસો પહેલા રોકાણ કરવા માટે ગયો હતો. જેણે રોકડની જગ્યાએ ચેકમાં જ નાણા આપવાનો આગ્રહ કર્યો.
રાતો રાત ઠગ દંપતિએ ગામ મૂકીને ભાગ્યા
જોકે આ ઠગ દંપત્તિઓ ભાંડો ન ફૂટે તે માટે કોટક મહિન્દ્રાના નામે ચેક જમા પણ કરી લીધો. પરંતુ તેઓને ભનક લાગી ગઈ કે તેમની આ દુકાન હવે જાજો સમય નહીં ચાલે. એટલે રાતમાં ગામ ઊંઘતુ રહ્યું અને બંને દંપત્તિ ફરાર થઈ ગયા. બેંકમાં કામ કરતા બંને કર્મચારી બીજા દિવશે દંપતીના ઘરે પહોંચ્યા તો ન તો દંપત્તી મળ્યું, ન તો સામાન..કે ન તો બેંકમાં પૈસા..એટલે કે, પેઢી ઉપડી ગઈ હતી.
આ ગામને જ કેમ નિશાન બનાવ્યું..?
અહીં આપને એવો સવાલ પણ થતો હશે કે, આ ઠગ દંપત્તિએ આ ગામનો જ કેમ નિશાન બનાવ્યું..? તો આપને એ પણ જણાવી દઈએ કે, ધર્મજ ગામ દેશનું સૌથી સુખી અને સમૃદ્ધ ગામ છે. આ ગામના લોકો પૈસા કમાવા માટે વિદેશમાં જાય છે અને ત્યાં સારી એવી કમાણી કરી ધર્મજ ગામમાં મોકલે છે. આ ગામના લોકો પેઢીઓથી લોકો વિદેશમાં છે અને નાણાં કમાય છે. અહીં રહેતા મોટાભાગના લોકો પાસે પુષ્કળ પૈસા છે.
ગામના લોકોના લાખો રૂપિયા પડાવી ફરાર
જ્યારે બેંકો પણ ધર્મજના આંગણે જ છે. લોકો રોજીંદા વપરાશના નાણાં પણ બેંકથી મળી જાય છે. નાણાંની આવકને કારણે લોકો બેંકોમાં પૈસા જમા કરે છે. ઘરમાં પૈસા-દાગીના રાખવાના બદલે લોકો બેંકમાં જમા કરાવવા પસંદ કરે છે. આમ ગામમાં બેંકની મોટી માગને કારણે ઠગ દંપત્તિને આ ઠગાઈ કરવી સૂઝી અને ગામના લોકોના લાખો રૂપિયા પડાવી ફરાર થઈ ગયા. ત્યારે લોકોના લાખો રૂપિયા પાછા આવશે કે, નહીં તેના પર પ્રશ્નાર્થ છે.