ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બેઠકોનો દોર થઈ ગયો છે ત્યારે આજે એસજી હાઇવે પર સોલા ઉમિયાધામ ખાતે પાટીદાર સમાજની વધુ એક બેઠક મળશે
આજે અમદાવાદમાં પાટીદાર સમુદાયની બેઠક
સોલા ઉમિયા કેમ્પસ ખાતે યોજાશે બેઠક
વિધાનસભાની ચૂંટણી પહેલા બેઠકોનો દોર
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તમામ પક્ષોએ વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈ બેઠકો યોજી રહ્યા છે ત્યારે પાટીદાર સમાજ પણ તેમાં પાછળ રહ્યો નથી. પાટીદાર સમાજ પણ એક બેઠકનું આયોજન કરી રહ્યો છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા બેઠકોનો દોર
આજે અમદાવાદમાં એસજી હાઇવે પર સોલા ઉમિયાધામ ખાતે પાટીદાર સમાજની વધુ એક બેઠક મળશે. પાટીદાર અગ્રણીઓ સહિતે અનેક મોટા આગેવાનો બેઠકમાં ઉપસ્થિત જેમાં સી.કે. પટેલ, બાબુ જમના પટેલ,વાસુદેવ પટેલ સહિત રમેશ દૂધવાળા,દિલીપ નેતાજી પણ ઉપસ્થિત રહેશે.
સોલા ઉમિયા કેમ્પસ ખાતે યોજાશે બેઠક
સમાજના ઉત્થાન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, અગાઉ મહેસાણાના ઉંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજની એક ચિંતન બેઠક યોજાઈ હતી જે દરમિયાન બંને સમાજ વચ્ચે સમરસતા વધે, સાથે સાથે સામાજિક અને રાજકીય મહત્વ વધે તે મુદ્દા પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદમાં પાટીદાર સમુદાયની બેઠક
તો આ બેઠકમાં ખોડલધામના નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, પાટીદાર સમાજની રાજકીય અને અધિકારી લેવલે નોંઘ લેવાતી નથી. જે નોંધ લેવાય તે જરૂરી છે. તો ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ મણીભાઈ પટેલે કહ્યું હતું કે, પાટીદાર સમાજ એક બીજાના ટાંટિયા ખેંચવાની જગ્યાએ સમાજને એક કરે તે જરૂરી છે. તેમજ કડવા અને લેઉવા સમાજમાં રાજકીય સમજ આવે તે જરૂરી છે.