ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયા બાદ જેલમાં બંધ હતો, જયેશ પટેલ ભારત પરત આવે તે માટે જામનગર અને ગુજરાતની પોલીસ દ્વારા કવાયત શરૂ કરાઇ અને અંતે મળી સફળતાં
જમીન કૌભાંડના આરોપી જયેશ પટેલને લઈ એક મોટા સમાચાર
આરોપી જયેશ પટેલને લંડન કોર્ટે ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો
વકીલની હત્યા કરાવ્યા બાદ બોગસ પાસપોર્ટથી ગયો હતો લંડન
જમીન કૌભાંડના આરોપી જયેશ પટેલને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, જામનગરના વકીલ કિરીટ જોશી મર્ડર કેસના આરોપી જયેશ પટેલને લંડન કોર્ટે ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. અહીં નોંધનીય છે કે, કિરીટ જોશી મર્ડર અને જમીન કૌભાંડ કેસમાં ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયા બાદ જેલમાં બંધ હતો. જે બાદમાં જયેશ પટેલ ભારત પરત આવે તે માટે જામનગર અને ગુજરાતની પોલીસ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, લંડન કોર્ટે જયેશ પટેલને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે.
જામનગરના વકીલ કિરીટ જોશી મર્ડર કેસના આરોપી જયેશ પટેલને આગામી દિવસોમાં લંડનથી ભારત પરત લાવવામાં આવી શકે છે. અગાઉ જામનગરના વકીલ કિરીટ જોશી મર્ડર કેસના ફર આરોપી જયેશ પટેલ હાલ લંડનની જેલ બંધ છે. જોકે તેને ભારત પરત લાવવાના જામનગર અને ગુજરાત પોલીસ કવાયતમાં જ હતી. આ દરમિયાન હવે લંડનની કોર્ટે જયેશ પટેલને ભારતને સોંપાવનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, થોડાક જ દિવસોમાં લંડનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જયેશને ભારત પરત લાવવામાં આવી શકે છે.
કોણ છે જયેશ પટેલ ?
મર્ડર કેસના અને જમીન કૌભાંડનો આરોપી જયેશ પટેલ એપ્રિલ 2018માં જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા કરાવ્યા બાદ દુબઇ ભાગી ગયો હતો. જયેશ મૂળજીભાઇ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ઝડપી લેવા ભારતે પણ અનેક કવાયત કરી હતી. મહત્વનું છે કે, જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડમાં જયેશ પટેલનું નામ મોખરે છે. જયેશ પટેલ સામે અલગ અલગ કેસમાં અત્યાર સુધી લગભગ 40થી વધુ ફરિયાદ નોંધાયેલી છે.
વકીલની હત્યા કરાવ્યા બાદ બોગસ પાસપોર્ટથી ગયો હતો લંડન
જયેશ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાના કેસમાં ફરાર હતો. આ દરમિયાન 2 વર્ષ પહેલા તેની સામે લંડનમાં બોગસ પાસપોર્ટ ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અહી નોંધનીય છે કે, જયેશ પટેલનો ઓરીજનલ પાસપોર્ટ જામનગર કોર્ટમાં જમા છે. જેથી તેબોગસ પાસપોર્ટના આધારે લંડન પહોંચ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ તરફ લંડનમાં બોગસ પાસપોર્ટ ધારા હેઠળ ગુનો દાખલ કરાયા બાદ આ ધારા હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ળી છે.
લંડનની કોર્ટે 300 પાનાનો ચુકાદો આપ્યો
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા એક વર્ષથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લંડનની કોર્ટમાં જયેશને પરત લાવવા માટે દલીલો કરી રહ્યા હતા. લંડનની કોર્ટ દ્વારા જયેશ પટેલને ભારત પરત મોકલવા માટે હુકમ કરવામાં આવ્યો છે. લંડનની કોર્ટમાં અનેક પુરાવા રજૂ કર્યા બાદ લંડનની કોર્ટે 300 પાનાનો ચુકાદો આપ્યો છે.