રાજ્યના પેન્શનરો માટે આનંદના સમાચાર છે. રાજ્યના લાખો પેન્શરોને હાઈકોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે 2018ના ઠરાવને રદ કર્યો છે અને સ્કેલ ટૂ સ્કેલનો લાભ તમામ પેન્શનરોને આપવા આદેશ કરવામાં આવ્યો છે. પેન્શનરોને 2006થી લાભ આપવા આદેશ કરાયો છે. તો આ આદેશ મુજબ હાઈકોર્ટમાં અરજી ન કરનાર પેન્શનરોને પણ લાભ અપાશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 10, 2019
નોંધનીય છે કે, અત્યાર સુધી તેમને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવતો ન હતો. હાઈકોર્ટે તમામ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવે તેનો નિર્ણય કરતા રાજ્ય સરકારને મોટો ઝાટકો પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટ રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, રાજ્યના લાખો પેન્શરોને આ લાભ 2006થી લાભ આપવામાં આવે. આ સાથે જ હાઈકોર્ટે 2018ના ઠરાવને રદ કરતા રાજ્યના અનેક પેન્શનરોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.