પવિત્ર શ્રાવણમાસ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના એવા માર્ગની મુલાકાતતો લેવી જ રહી જ્યાં સૌથી વધુ દેવસ્થાન આવ્યા હોય. આપણે વાત કરી રહ્યા છે અમદાવાદથી નડિયાદ જતા માર્ગની. નડિયાદ જવા માટે અમદાવાદ હાથીજણ વાળા રસ્તા પર નિકળશો તો તમે એક જ માર્ગ પર દરેક દેવ-દેવીના દર્શન કરી શકશો. જી, હા લાલાગેબી સર્કલ પસાર કર્યા પછી શરૃ થાય છે પવિત્ર મંદિરોનો માર્ગ.
સૌ પ્રથમ હાથીજણ સ્વામિનારાયણ મંદિર આવે છે. થોડા આગળ વધતા જ ત્રીદેવી માતાનું મંદિર છે, પછી અંબે માતા, મેલડી માતા, મહાદેવજી, રણછોડજી, નારાયણપ્રભુ, સાંઇબાબા, હનુમાનદાદા, શનિદેવ, બુટભવાનિમાતા, સિદ્ધિવિનાયક ગણપતિદાદા, ચામુંડામાતા જેવા અનેક મંદિરોના દર્શનનો લાભ આ માર્ગ પર મળી રહે છે.
એમ પણ કહેવાય છે કે, સમગ્ર ગુજરાતમાં ચરોતર પંથકનો આ માર્ગ જ એવો છે જ્યાં સૌથી વધુ મંદિરો આવેલા છે. અન્ય માર્ગ હશે પરંતુ ત્યાં એકલ-દોકલ મંદિર જોવા મળતા હશે. પરંતુ એક જ માર્ગ પર અને સળંગ મંદિરોના દર્શન કરવાનો લાહવો તો આ માર્ગ પર જ મળે છે.
જો વિશ્વાસના હોય તો તમે પણ આ માર્ગની મુલાકાત લેજો જ્યાં દરેક ભગવાનના મંદિર જોવા મળશે. ઘણા મંદિરોતો એટલી સુંદર જગ્યાએ છે જેના સાનિધ્યમાં ગયા પછી પરત ફરવાનું પણ મન નથી થતુ.
આ સમગ્ર મંદિરમાં સિદ્ધિવિનાયક દેવસ્થાન તો ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જાણીતુ છે. તો આ શ્રાવણ માસમાં એક જ દિવસની યાત્રા કરી સમગ્ર મંદિરોના દર્શન કરી પાવન થવાની તક મેળવી લો.