કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓએ દ્વારકાધીશના મંદિરે શિશ ઝુકાવ્યા હતા. દ્વારકાધીશના દર્શન કરીને અમિત શાહ મોજપ ખાતે મરીન કોસ્ટલ એકેડમીની મુલાકાત લીધી અને મોજપ ખાતે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓની પીઠ થાબડી હતી. તો આ સાથે જ તાલીમાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. ત્યાર બાદ પીએમ મોદી સહિત અમિત શાહ પણ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
સહકારી વ્યવસ્થા પારદર્શક રીતે ચાલે છે- અમિતશાહ
ગાંધીનગરમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીની હાજરીમાં સહકારથી સમૃદ્ધી કાર્યક્રમમાં અમિત શાહે કહ્યુ હતુ કે, સહકારી મંત્રાલય બનાવીને પીએમ મોદીએ ઐતિહાસિક પગલુ ભર્યુ હતુ. અમિત શાહે કહ્યુ હતુ કે,દેશભરમાં ગુજરાતન સહકારીતા આંદોલનને એક સફળ મોડલ માનવામાં આવે છે. દેશભરમાં ગુજરાત એવુ રાજ્ય છે જ્યાં સહકારી વ્યવસ્થા પારદર્શક રીતે ચાલે છે. સ્વાવલંબી અને સ્વદેશી આ બે સ્તંભોના આધાર પર મોરરજી દેસાઈ અને સરદાર પટેલે ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીના સમયે જ સહકારી આંદોલનની શરૂઆત કરી હતી. ગુજરાત સહકારિતા વિભાગમાં સફળ મોડેલ છે. સહકારિતાની આત્માને બચાવવામાં ગુજરાતનો મોટો ફાળો છે. સહકારિતા આંદોલનના મુળમાં 'સ્વાવલંબન અને સ્વદેશી'. હું ખુબ નાની ઉંમરે સહકારિતા આંદોલન સાથે જોડાયો છું. તમામની એક માંગ હતી કે સહકારિતા વિભાગનું અલગ મંત્રાલય બને.
સહકાર એ લોકશાહીનો આધાર છે- સીએમ ભૂપેન્દ્ર પટેલ
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, સહકાર એ લોકશાહીનો આધાર છે. સહકાર એ ગ્રામ્ય અર્થતંત્રનો આધાર છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે સહકાર ક્ષેત્રમાં અનેક નિર્ણયો લેવાઈ રહ્યા છે. સહકારી બેંકને RBIના દાયરામાં લાવવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં દેશની કો-પોરેટીવ સોસાયટી વૈકલ્પીક દર ઘટાડીને 15 ટકા થયો છે.
દ્વારકાધીશના કર્યા હતા દર્શન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથોસાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે સવારે તેમણે દ્વારકાના જગતમંદિર ખાતે ભગવાન દ્વારકાધિશના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી.દ્વારકા પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રીનું હેલિપેડ ખાતે સ્થાનિક ભાજપ અગ્રણીઓ તથા દ્વારકામાં કલેક્ટર અને ધનરાજ નથવાણી દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ ધર્મપત્ની સાથે દ્વારકાધીશના દર્શન કરીને ભગવાનની ચરણ પાદુકાનું પૂજન કર્યું કર્યું હતું.
મોજપ ખાતે તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધી થાબડી પીઠ
દ્વારકાધીશના દર્શન કરીને અમિત શાહ મોજપ ખાતે મરીન કોસ્ટલ એકેડમીની મુલાકાત લીધી અને મોજપ ખાતે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓની પીઠ થાબડી હતી. તો આ સાથે જ તાલીમાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.
ઈફ્કોના કાર્યક્રમમાં થશે સામેલ
આપને જણાવી દઇએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના 3 દિવસીય પ્રવાસે છે. આવતીકાલે ગોધરામાં પંચામૃત ડેરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નડિયાદમાં ગૃહ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપશે. બાદમાં અમદાવાદના નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ભૂમિપૂજન પણ કરવાના છે અને ત્યારબાદ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ નિહાળશે.