બનાસકાંઠામાં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા ખેડૂતો અને જાગૃત નાગરિકોએ એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં ખેડૂત દ્વારા ઉગાડી તૈયાર કરવામાં ઓર્ગેનિક પ્રોડક્ટને એક જ કેન્દ્ર પરથી વેચાણ કરવાનું શરૂ થયું છે. આ ગુજરાતનું પ્રથમ ઓર્ગેનિક માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોથી લોકોનું સ્વાસ્થ્ય ખોરાકના કારણે દિન-પ્રતિદિન કથળી રહ્યું છે. કારણ કે અત્યારે બજારમાંથી મળતુ મોટાભાગનું અનાજ રાસાયણિક ખાતરમાંથી તૈયાર કરવામાં આવે છે. રાસાયણિક ખાતરમાં રહેલા ઝેરી તત્વો ખોરાક મારફતે આપણા શરીરમાં જાય છે. જે શરીરના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થાય છે.
ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જાગૃત નાગરિકો અને ખેડૂતોએ લોકોના સ્વાસ્થ્ય અંગેની જાગૃતતા દાખવી નવતર પ્રયોગ શરૂ કર્યો છે. ખેડૂતોએ પોતાની ઓર્ગેનિક પ્રોડક્ટ સીધી જ ગ્રાહકો પાસે જાય તે માટેનું માર્કેટ તૈયાર કર્યું છે.
જેમા નહિ નફો, નહિ નુકસાનના ધોરણે આ ખેડૂતોએ લોકોને સ્વાસ્થ્ય અંગેની જાગૃતતા રાખવામાં આવી છે. આમ આ ગુજરાતનું પ્રથમ ઓર્ગેનિક બજારનો શુભારંભ થયો છે. ડીસામાં એક જ સ્થળેથી શાકભાજી હોય કે અનાજ ઓર્ગેનિક અને સ્વાસ્થ્ય માટે સારું હોય તે પ્રકારની ચીજવસ્તુઓ એક જ માર્કેટ થી મળી રહેશે તે માટે ગ્રાહકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.