રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં બાળ મૃત્યુ દર મામલે રાજકારણ ગરમાયું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવતા દર્દીઓ મુદ્દે નીતિન પટેલના આક્ષેપ પર પરેશ ધાનાણીએ જવાબ આપ્યો હતો કે ભાજપના સમયમાં આરોગ્ય પર કામ ન થયું. ભાજપની સરકારમાં પણ ત્યાંથી સારવાર માટે આવતા હતા. તો નીતિન પટેલે કોંગ્રેસના આક્ષેપ મુદ્દે જવાબ આપતા કહ્યું કે માનવતા મુદ્દે રાજનીતિ ન થવી જોઇએ. કોંગ્રેસ દેખાવ પુરતી હોસ્પિટલની મુલાકાત કરે છે.
કોંગ્રેસના આક્ષેપ મુદ્દે નીતિન પટેલનો જવાબ
કોંગ્રેસ દેખાવ પુરતી હોસ્પિટલની મુલાકાત કરે છેઃ નીતિન પટેલ
રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવતા દર્દીઓ મુદ્દે ધાનાણીનું નિવેદન
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બાળ મૃત્યુ દર વિશે નીતિન પટેલે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વળતો જવાબ આપ્યો હતો. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવતા દર્દીઓ મુદ્દે તેમણે જવાબ આપ્યો હતો.
પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, અગાઉ પડોશી રાજ્યોમાં ભાજપની સરકાર હતી અને ત્યારે આરોગ્ય ક્ષેત્રે કોઈ કામ થયુ નથી. જેને લઈને ભાજપની સરકારમાં પણ ત્યાંથી સારવાર માટે લોકો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હતા. હાલ પણ આવી રહ્યા છે. ગુજરાતમાં સરકારી આરોગ્ય સેવા કથળી છે તે સરકારે સ્વીકારવું જોઈએ. આમ, આરોગ્ય ક્ષેત્રે પરેશ ધાનાણીએ સરકારને આડે હાથ લીધી હતી.
માનવતાનો મુદ્દે રાજનીતિ ન થવી જોઇએઃ નીતિન પટેલ
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આક્ષેપ કર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ માત્ર દેખાવ પુરતી હોસ્પિટલની મુલાકાત કરે છે. આ ઉપરાંત કહ્યું કે, માનવતા ના મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ. આ સમગ્ર મામલે તપાસ કરાશે. જનતાને સાચી માહિતી આપી છે.