એક બાજુ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડુ ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાયુ વાવાઝોડાની અસરની સંભાવનાને લઇને કેટલાક ગામડાઓના લોકોનું સ્થળાંતર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
'વાયુ' વાવાઝોડું જામનગર સહિત સૌરાષ્ટ્રના સાગર કિનારે દસ્તક દઈ રહ્યું છે. ત્યારે તંત્ર આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સ્તરે સાબદું થયું છે. જન સ્થળાંતરથી માંડી બચાવ કાર્ય, રાહત સામગ્રી સહિતને લઈને તંત્રએ માઈક્રો પ્લાનિંગ કર્યું છે. સંરક્ષણની ત્રણેય પાંખને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જરૂર પડ્યે હવાઈ સેવા પણ લેવાની તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે.
વાયુ વાવાઝોડાને લઈને રાજ્યાના 11 જિલ્લા પ્રભાવિત થશે. ત્યારે કોસ્ટલ વિસ્તારના ગામડામાં રહેલા લોકોને સ્થળાંતર કરવા આદેશ આપવામાં આવ્યા છે. લોકોને સ્વયંભૂ સલામત સ્થળે જવાનું કહેવામાં આવ્યું છે. ગુજરાતના 11 જિલ્લાના 300 ગામમાં સ્થળાંતર કરવામાં આવશે. કાચા મકાનમાં રહેતા લોકોને ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. સ્થળાંતર લોકોના આશરા માટે શેલ્ટર હોમ તૈયાર કરવા આદેશ કરવામાં આવ્યા છે. 11 જિલ્લાના કલેક્ટરને શેલ્ટર હોમની વ્યવસ્થા કરવાનું કહેવાયુ છે.
જામનગર જિલ્લાના 25 ગામના લોકોનું કરાશે સ્થળાંતર
જામનગર સહીત સૌરાષ્ટ્રના સાગર કિનારે વાયુ વાવાઝોડું આવે તે પૂર્વે વહીવટી તંત્રએ તમામ વિભાગો સાથે સંકલન કરી વ્યવસ્થિત આયોજન કરી લેવાયું છે. જામનગર જીલ્લાના 25 ગામોમાં લોકોનું સ્થળાંતર કરાશે. આવતીકાલથી જામનગરના 12, જોડીયાના 11 ગામોના લોકોનુ સ્થળાંતર કરવામાં આવશે. લાલપુરના 2 ગામ મળી 13 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. શાળાઓ, આશ્રમ અને સામાજિક હોલમાં 36 આવાસ સ્થળો પર વ્યવસ્થા કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
બીજી તરફ બચાવકાર્ય માટે સ્ટેટ ડીજાસ્ટર રીપોન્સ ફોર્સ અને એનડીઆરએફની એક-એક ટુકડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેમાં આર્મીની છ ટુકડીઓ પૈકી પાંચ અન્ય જિલ્લાઓને ફાળવી દેવામાં આવી છે. ઉપરાંત નેવીના ૫૦૦ જવાનોને પણ આપાતકાલીન મદદમાં તૈયાર કરાયા છે. સૌરાષ્ટ્રમાં જામનગરમાં જ હેલીપેડ હોવાથી અહીંથી સમગ્ર જિલ્લાઓમાં આવાગમ માટે વ્યવસ્થા કરાશે. બચાવકાર્ય માટે બે દિવસ શાળાઓ બંધ રાખી દેવામાં આવી છે. તો મેડીકલ કર્મીઓની રજાઓ કેન્સલ કરાઈ, ઈમરજન્સી સારવાર માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
ઉનાના 51 ગામમાંથી લોકોનું કરાશે સ્થળાંતર
વાવાઝોડાને પગલે ગીર સોમનાથના ગામડાઓમાંથી સ્થળાંતર કરાશે. ઉનાના 51 ગામમાંથી લોકોનુ સ્થળાંતર કરવામાં આવશે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉનાના 51 ગામમાંથી 17 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. વેરાવળમાં સેટેલાઇટ વી સેટ આપવામાં આવ્યા છે. વાવાઝોડા સમયે સેટેલાઇટથી સંપર્ક માટે ઉપયોગી છે. NDRF 2 ટીમ ગીર સોમનાથ પહોંચશે. 1 ટીમ ઉના અને 1 ટીમ વેરાવળ કાર્યરત રહેશે. પ્રાંત અધિકારી અને ક્લસ્ટર અધિકારીઓને હેડ કવારટરમાં રહેવા સૂચના આપવામાં આવી છે. સમુદ્ર કિનારા ખાલી કરાવવા તંત્રનો આદેશ આપવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લાના ગામોને કરાયા અલર્ટ, 13 ગામના લોકોનું કરાશે સ્થળાંતર
સૌરાષ્ટ્રમાં ત્રાટકનારા સમભાવી વાયુ વાવાઝોડા નેવીને તંત્ર વધુ સાબદું બન્યું છે જે પ્રકરે વાવાઝોડું વેરાવળથી આગળ વધી રહ્યું છે તેમ ભાવનગર જિલ્લા ઉપર જોખમ વધી રહ્યું છે. ભાવનગર જિલ્લાના 4 તાલુકાના 34 ગામનો અલર્ટ આપવામાં આવ્યા છે. જેમાં મહુવાના 13 ગામડાઓ જે દરિયા કિનારે આવેલ છે ત્યાં વસતા લોકોને આવતીકાલ સવારથી સ્થળાંતર કરવાંમાં આવનારા છે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. આ વાવઝોડાની અસર સૌથી વધુ ખાસ મહુવાના 13 ગામોમાં વધુ અસર થવાની શક્યતા છે. મહુવાના 13 ગામના લોકોનો સ્થળાંતર કરવાની કામગીરી આવતીકાલથી શરૂ કરવામાં આવનારા છે. જરૂરું પડે તો જિલ્લાના 34 ગામના અંદાજીત 9190 કરતા વધુ લોકોને સ્થળન્ટર કરાવવા તંત્ર સજ્જ થયું છે. આવતીકાલે સવારથી ઉચ્ચ અધિકારીઓ મહુવામાં મુકામ કરશે. આ વાવઝોડાની સંભાવનાને લઈને આવતીકાલે ભાવનગરમાં NDRF તેમજ આર્મીની ટીમ ભાવનગર આવી પહોંચશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું.
રાજુલા-જાફરાબાદના 23 ગામોને અલર્ટ
રાજુલા-જાફરાબાદના 23 ગામોને અલર્ટ કરાયા છે. દરિયાકાંઠા નજીકના ગામોમાં સૂચના અપાઇ છે. કાચા મકાનોમાં રહેતા લોકોને સલામતી અંગે સૂચના અપાઈ છે. રાજુલા પ્રાંત અધિકારીએ રીક્ષામાં જઇ લોકોને જાગૃત કર્યા હતા. નબળા મકાનોમાં રેહતા લોકોને સુરક્ષિત જગ્યા પર જવા તંત્રની સૂચના અપાઇ છે. વાવાઝોડાને લઈ પ્રાંત અધિકારી સહિત તંત્ર વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.
નવસારી કાંઠાના 24 ગામડાઓને કરાયા અલર્ટ
વાવાઝોડાને લઇને નવસારીના કાંઠાના 24 ગામડાઓને અલર્ટ કરાયા છે. જલાલપોર તાલુકાના 11 અને ગણદેવીના 13 ગામોને અલર્ટ કરાયા છે. જલાલપોર તાલુકાના 26 હજારથી વધુ લોકોને અલર્ટ કરાયા છે. ગણદેવી તાલુકાના 28 હજારથી વધુ લોકોને સતર્ક રહેવા સુચના અપાઇ છે. પ્રાથમિક શાળામાં મુસિબત સમયે લોકોને ખસેડવાની વ્યવસ્થા કરાઇ છે. તંત્ર દ્વારા ફૂડ પેકેટ, પીવાનુ પાણી, ગાદલા તેમજ PHC સ્ટાફને હાજર રખાશે. સંભવત વાયુ વાવાઝોડાને પગલે કચ્છનું તંત્ર અલર્ટ બન્યું છે. અબડાસા વિસ્તારમાં દરિયા નજીકના ગામો ખાલી કરાવાયા છે.
આજે જખૌ બંદર ગામના 350 લોકોનું સ્થળાંતર કરાયુ
આજે જખૌ બંદર ગામના 350 લોકોનું સ્થળાંતર કરાયુ છે. આવતીકાલે 13 ગામોના 2000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. સ્થળાંતરીત લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. નલિયા ખાતે અધિકારીઓની એલર્ટ બેઠક યોજાઇ