ગુજરાતના ઔદ્યોગિક વિવાદધારા સુધારા વિધેયકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આમ રાજ્ય સરકારે કરેલા સુધારાઓને રાષ્ટ્રપતિએ માન્ય રાખ્યા. જેને લઇને હવે કર્મચારીઓની છટણી માટે પૂર્વ મંજૂરીની જરુર નહીં પડે.
ગુજરાત સરકારે કરેલા સુધારાઓને રાષ્ટ્રપતિએ માન્ય રાખ્યા
હવે કર્મચારીઓની છટણી માટે પૂર્વ મંજૂરીની નહીં પડે જરૂર
રાજ્ય સરકાર 22 સપ્ટેમ્બરના રોજ ઔદ્યોગિક વિવાદધારા સુધારા વિધેયકને મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ આ વિધેયકને દેશના રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવેલ હતું.
ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યના ઔદ્યોગિક વિવાદધારા સુધારા વિધેયકને મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકારે કરેલા સુધારાઓને રાષ્ટ્રપતિએ માન્ય રાખ્યાં છે. જેના મુજબ હવે કર્મચારીઓની છટણી માટે પૂર્વ મંજૂરીની જરુર નહીં પડે.
કોઇપણ કંપનીમાં 300થી ઓછા કર્મચારીઓની કંપની નોટિસ આપી છટણી કરી શકશે. સરકારે વિધેયકમાં સુધાર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા કર્યો હતો.
આમ સરકાર દ્વારા વેપાર ઉદ્યોગની ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં વધારો કરવાના ઇરાદા સાથે ઉપરોક્ત કાયદામાં સુધારા કરવામાં આવ્યાં છે. આ સુધારાઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના સુચન બાદ કરવામાં આવ્યાં હતા.
1947ના ઔદ્યોગિક વિવાદ ધારા મુજબ જો કંપનીમાં 100થી વધારે કર્મચારીઓ કે કામદારો હોય તો આ કર્મચારીઓની છટણી કરવા માટે કે પછી લે ઓફ આપવા માટે સરકારની આગોતરા મંજૂરી લેવી પડતી હતે. જો કે હવે નવા કાયદામાંથી આ મંજૂરી લેવાની શરતને દૂર કરી દેવામાં આવી છે.