તહેવારો સિઝનમાં ST વિભાગ દોડાવશે વધુ બસ, રાજ્યમાં કર્ફ્યૂ અને કરોના બાદ ST નિગમની દૈનિક આવકમાં સાડા 5 કરોડનો વધારો, હાલ કુલ 6,700 બસ કાર્યરત
તહેવારોમાં ST વિભાગ દોડાવશે વધુ બસ
કોરોના બાદ ST વિભાગની આવકમાં વધારો
હાલ ST નિગમની કુલ 6,700 બસ કાર્યરત
ગુજરાતમાં બસ મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે જ્યારે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે તહેવારો નિમિતે વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે.
તહેવારોમાં ST વિભાગ દોડાવશે વધુ બસ
શ્રાવણ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી, 15 ઓગસ્ટ જેવા આવતા મુસાફરોની સંખ્યમાં વધારો જોવા મળતો હોય છે ત્યારે એસટી વિભાગે વધુ બસ દોડાવાશે મહત્વનું છે કે કોરોના કાળમાં એસટી નિગમને મોટી ખોડ સહન કરવાનો વારો આવ્યો હતો.
કોરોના કાળમાં એસટી વિભાગને ભારે ખોટ
કોરોના સંક્રમણ વધતા રાજ્યમાં કર્ફ્યૂ જેવો માહોલ હતો જે દરમિયાન એસટીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો કેટલીક જગ્યાએ બસના રૂટ બંધ રખાયા હતા તો બસમાં માત્ર 50 ટકા મુસાફરોની મર્યાદા સાથે મુસાફરી કરવાની આદેશ કરાતા એસટી વિભાગને ભારે ખોટ સહન કરવી પડી હતી.
કોરોના બાદ ST વિભાગની આવકમાં વધારો
ઉલ્લેખનિય છે કે કર્ફ્યૂ અને કરોનામાં ઘડાટા બાદ ST નિગમની દૈનિક આવકમાં સાડા 5 કરોડનો વધારો હાલ કુલ 6200 સિડ્યુલ પર 6,700 બસ દોડી રહી છે કુલ 39 હજાર ટ્રીપ ચાલી રહી છે. વિદ્યાર્થી ટ્રીપ સિવાય તમામ બસો ફરી કાર્યરત થઇ છે. જો કે હવે તહેવારો નિમિતે એસટી વિભાગ વધુ બસ દોડવાશે તેવો નિર્દેશ રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમે કર્યો છે.
હાલ ST નિગમની કુલ 6,700 બસ કાર્યરત
રક્ષાબંધનના દિવસે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટમાં બસો દોડશે. તેમજ ભાવનગર, ભુજ, અમરેલી, જૂનાગઢ રૂટ પર વધુ બસોનુ સંચાલન થશે તો સોમનાથ, દ્વારકા, ડાકોર,રાજકોટ રૂટમાં એક્સ્ટ્રા બસો દોડશે. ઉલ્લેખનિય છે કે તમામ રૂટ પર વિદ્યાર્થી ટ્રીપ સિવાયની તમામ બસો ફરી કાર્યરત કરી દેવામાં આવી છે.