કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર, હવામાન વિભાગના કહ્યાં અનુસાર આગામી 24 કલાક બાદ તાપમાનનો પારો 2-3 ડિગ્રીનો ઘટાડો થશે.જો કે, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ યથાવત
ગરમીથી મળી શકે છે આંશિક રાહત
હવામાન વિભાગની કરી મોટી આગાહી
મહત્તમ તાપમાનનો પારો ઘટી શકે છે 2 થી 3 ડિગ્રી
આવતીકાલથી ગરમીથી મળી શકે છે આંશિક રાહત
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાનો વર્તારો કરવામાં આવ્યો છે. આમ છેલ્લા એક સપ્તાહ બાદ રાજ્યના લોકો માટે કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના સંકેતો સામે આવ્યાં છે.
દક્ષિણ ગુજરાતમાં 3 દિ' બાદ વાદળછાયુ વાતાવરણ જોવા મળશે
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનના પારામાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે આગામી ત્રણ દિવસો સુધીમાં ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આ બાદ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે, હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી,પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ યથાવત
અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી. જેને લઈને અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી આસ-પાસ રહેવા પામ્યો છે, આ વચ્ચે આવતીકાલે પણ શહેરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.