દેશ-વિદેશમાં વસતા ભારતીયો ભારતમાં વસતા લોકો માટે કોરોના મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયમાં વસાત ગુજરાતીઓએ 27 સમાજના લોકો સાથે પ્રાર્થના કરી
વિશ્વમાં વસતા ભારતીયો કરી રહ્યા છે પ્રાર્થના
દેશમાં કોરોના મહામારી માંથી જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના
ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓએ યોજી પ્રાર્થના સભા
ગુજરાતીઓ દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસવાટ કરે છે, ભારતમાં કોરોના મહામારી વકરી રહી છે ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ ભારતમાં કોરોના મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયમાં વસતા ગુજરાતીઓએ ભારતીયો માટે રવિવારના દિવસે ખાસ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે.તેમાં વિદેશમાં રહેતા લોકો મોટા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વહેલા સવારથી પ્રાર્થના સભા યોજવામાં આવી જેમાં બ્રિસબેનમાં ગણેશ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
ઓસ્ટ્રિલિયામાં વસતા ગુજરાતીઓએ યોજી પ્રાર્થના
મહેસાણામાં વિજાપુર જેતપુર ગામમાં રહેતા અને હાલ ઓસ્ટ્રેલિયામાં બ્રિસબેનમાં સ્થાયી થયેલા આશિષ પટેલએ ભારતીયો માટો પૂજા અર્ચના કરાવી હતી જેમાં વિજાપુર તાલુકાના 27 સમાજના લોકો આ પૂજાવિધિમાં સામેલ થયા હતા..ભારતમાં કોરોના મહામારી નાબૂદ થાય અને જેટલા પણ કોરોના દર્દીઓ છે તેઓ બીમારીમાંથી સાજા થાય, કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટે તે માટે વિદેશમાં વરસાદ ગુજરાતી સમાજ પ્રાર્થના કરી રહ્યો છે, ઓસ્ટ્રેલિયામાં ભારતીયો ગણેશ મંદિરમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદેશમાં વસતા ભારતીઓની પ્રાર્થના
વિદેશમાં વરસાત ગુજરાતીઓ ભારતમાં કોરોના મહામારીને લઈને પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે એવું જરૂર લાગે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, ગુજરાતીઓ એ દરેક અડીખમ ઉભા રહે છે, એ પછી વિનાશક પૂર હોય, ભૂકંપ હોય કે વાવાઝોડું હાલ તો કોરોના સામેની જંગમાં વિશ્વમાં વસતા ભારતીયો પણ ભારતમાંથી કોરોના જલ્દી દૂર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.