યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સલામત રીતે ભારત લાવવા માટે પરિવારજનની સરકારને અપીલ કરી
અમારી પાસે કોઈ નથી, Atmમાં પૈસા પણ ખલાસ થઈ ગયા
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ પોતાની વ્યાથ જણાવી
યુક્રેનમાં ATMમાં રૂપિયા ખલાસ થઇ ગયા
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ યુક્રેનમાં ગયેલા અન્ય દેશોના નાગરિકો પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે, જેની વચ્ચે હજી અનેક ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમાં ગુજરાતના અનેક જિલ્લા જેવા કે, રાજકોટ, ગોંડલ, વડોદરા, અરવલ્લી, ગીર સોમનાથ, સુરત, ભરૂચ, સહિતના વિદ્યાર્થીઓ ફસાયા છે. બીજી તરફ યુક્રેનમાં ખરીદી માટે ભારે અફરા તફરી થઈ રહી છે. ઉપરાંત ભારતીય એમ્બેસી બહાર પણ ભારતીયોની લાંબી લાઈનો લાગી છે.
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ પોતાની વ્યાથ જણાવી
યુદ્ધ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓ પોતાના પરિવારજનો સાથે વીડિયો કોલ દ્વારા રડતાં રડતાં પોતાની પરિસ્થિતીનો તાગ આપતાં જણાવ્યું હતું કે, હાલ યુક્રેનમાં પરિસ્થિતી ખુબ જ ગંભીર છે. ગઈકાલ સવારથી જ ચારેય બાજુ ફાઈટર પ્લેનો અને બોમ્બના ધડકાના અવાજો સંભળાઈ રહ્યાં છે. હાલ ચાલી રહેલા યુદ્ધના કારણે યુક્રેનની સરકારે તમામ ફ્લાઈટો રદ્દ કરી દીધી હતી. જ્યારે બીજી બાજું યુક્રેનના અડધા વિસ્તારોમાં લાઈટ છે અને અડધા વિસ્તારોમાં નથી.
રશિયાનો યુક્રેન પર હુમલો કર્યા બાદ ઘણાં ભારતીયો સહિત વિદેશી નાગરીકો યુક્રેનમાં ફસાઈ ગયાં છે. બીજી તરફ વિદ્યાર્થીઓ ભારત સરકાર તેમજ પરિવારજનો સાથે વીડિયો મેસેજ દ્વારા માંગી મદદ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે હાલ યુક્રેનમાં ATMમાં રૂપિયા ખલાસ થઇ ગયા છે. જેને લઈને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુદ્ધ શરૂ થતાં જ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.
યુક્રેનમાં વિદ્યાર્થિનીઓ ફસાતા પરિવાર ચિંતામાં
સમગ્ર રાજ્યના અલગ- અલગ જિલ્લાઓમાંથી યુક્રેન અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થી દેશમાં પરત ન આવી શકતા પરિવાર ચિંતિત બન્યો છે. જેમાં સુરત, ગીર-સોમનાથ , સૂત્રાપાડા, વેરાવળ, વડોદરા, ભરૂચ સહિતના ઘણાં રાજ્યના ઘણાં જિલ્લાના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે.
સાંસદ અને પોલીસ અધિકારીઓએ વિદેશમંત્રાલયને વિગતો મોકલી
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે યુક્રેનમાં ફસાયેલા વડોદરાના વિદ્યાર્થીઓની વિગતો મેળવી વિદેશ મંત્રાલયને મોકલી આપી હતી. તેમજ ફલાઈટ શરૂ થશે ત્યારે વિદ્યાર્થીઓને અગ્રતાના ધોરણે પરત લવાશે તેમ જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ ભરૂચના IPS અધિકારી વિકાસ સુંડાએ વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કર્યો, તેમજ ભરૂચમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સર્વે હાથ ધર્યો છે. અને પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું કે તેઓનો સહી સલામત રીતે પરત લવાશે