યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પૈકી આજે 27 વિદ્યાર્થીઓ ગાંધીનગર આવી પહોંચ્યા છે. તેઓનું સ્વાગત જીતુ વાઘાણી અને CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
યુક્રેનથી 100 થી વધારે ગુજરાતીઓ પરત આવ્યા
આજે ગાંધીનગર ખાતે 27 થી વિદ્યાર્થીઓ પરત આવ્યા
CM ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વઘાણીએ તેઓને આવકાર્યા
આજે ઘણા ગુજરાતી પરિવારોમાં ખુશીની લહેરખી આવી છે. કારણ કે અનેક ગુજરાતી પરિવારોના સંતાનો યુક્રેનથી પરત ફરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વઘાણીએ તેઓને આવકાર્યા હતા.
27 જેટલા વિદ્યાર્થીઓ પરત ફર્યા
ગઈકાલે 40 થી વધારે ગુજરાતી વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા અને આજે ગાંધીનગર ખાતે 27 થી વધારે વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા જેમનું સ્વાગત ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેઓ ખૂબ થાકી ગયા છે. તેઓ ભયાનક પરિસ્થિતિમાંથી નીકળ્યા હતા. નીકળવા સમયે એક વખત તો બસની આસપાસના વિસ્તારમાં જ બ્લાસ્ટ થયો હતો જેના કારણે તેઓ ડરી ગયા હતા.
2 હજાર ભારતીય નાગરિકોનો સુરક્ષિત બચાવ્યા
ભારતના ઓપરેશન ગંગા અંતર્ગત 2 હજાર નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. યુક્રેન-રશિયા સંકટ વચ્ચે ભારતનું ઓપરેશન ગંગા એક્ટિવ છે અને તે અંતર્ગત ઘણા વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે જેમાં ગુજરાતી વિદ્યાર્થીઓ પણ મોટા પાયે સામેલ છે. એક અંદાજ મુજબ આમાંથી 1 હજાર જેટલા ભારતીય પોતાના ઘરે પહોંચી ચૂક્યા છે. આ મામલે ભારત સરકાર રશિયા અને યુક્રેન સરકાર સાથે સતત સંપર્કમાં છે. એટલું જ નહીં પણ પોલેન્ડ સરકાર સાથે પણ વાતચીત ચાલુ છે. આજે અધિકારીઓની એક ટીમ પોલેન્ડ પહોંચશે. વિદેશમંત્રી એસ.જયશંકરે પોલેન્ડના વિદેશ મંત્રી સાથે વાત કરી હોવાના અહેવાલ છે. પોલેન્ડ બોર્ડર પર ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરાશે એવી જાહેરાત થઈ ચૂકી હતી.
સો થી વધારે ગુજરાતીઓ વતન આવ્યા
યુક્રેનમાં ફસાયેલા સો જેટલા ગુજરાતીઓ વતન પરતા આવ્યા છે. તેમાથી મોટેભાગેના સ્ટૂડન્ટસ હોવાની વાલીઓના જીવમાં જીવ આવ્યો હતો. અનેક પરિવારજનો પોતાના સંતાનોને હેમખેમ પરત આવેલા જોઈને હાશકારો અનુભવી રહ્યા છે.યુદ્ધ જેવી ભયાનક સ્થિતીમાંથી સહિ સલામત વતન પરત આવતા વિદ્યાર્થીઓ પણ પરિવારજનોને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.ત્યારે યુક્રેન યુદ્ધની ભયાનક સ્થિતીમાંથી બહાર આવી હેમખેમ વતન આવેલા સ્ટૂડેન્ટસએ પણ હાશકારો લેતા ત્યાંની વિષમ સ્થિતીનું વર્ણન કર્યુ હતુ.
ઓપરેશન ગંગા એક્ટિવ
યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લાવવાનું અભિયાન હેઠળ 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ દેશ પરત આવ્યા છે...મુંબઈ એરપોર્ટથી વોલ્વો બસમાં વિદ્યાર્થીઓને ગુજરાત પરત લાવવમાં આવ્યા હતા જેમાં બરોડાના વિદ્યાર્થીઓએ ઘરે પરત આવતા હાશકારો લીધો હતો,. અને સાથે ત્યાં ફસાયેલા અન્ય ભારતીયો માટે ચિંતા વ્યક્ત કરી હતી. અને તેમને જલ્દીથી ભારત પાછા લાવવામાં આવે તેવી સરકારને વિનંતી પણ કરી હતી.
અગાઉ જ્યારે યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ પરત આવતા તેમના સ્વાગત માટે ગુજરાત સરકારના મંત્રીઓ પણ પહોંચ્યા હતા.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્ણેશ મોદી સહિત અધિકારીઓ એરપોર્ટ પહોંચીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યુ હતુ. .અને હજુ યુક્રેનામાં અટવાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે આશ્વાસન આપ્યું હતુ.
હજુ 500 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના 600 જેટલા સ્ટૂડેન્ટસમાંથી 100 એક જેટલા જ સ્ટૂડેન્ટ્સ પરત આવ્યા છે. હજુ પણ બાકી બચેલા સ્ટૂડેન્ટસ કાં તો ઘરમાં છુપાઈ ગયા છે. તો કેટલાક શેલ્ટરમાં.તો કેટલાક રોમાનિયા જેવા દેશની બોર્ડરે પહોંચ્યા છે. દિવસે દિવસે યુક્રેનમાં સ્થિતી વણસતી જઈ રહી છે. ત્યારે સરકાર ભારતીયોને જલ્દી પરત લાવે તેવી દેશવાસીઓ આશા રાખીને બેઠા છે.