ઉત્તરાખંડના કેદારનાથમાં અનેક ગુજરાતી પરિવાર ફસાયા, કહે છે અમારે મદદની જરૂર છે....
હાલ કેદારનાથમાં ફસાયેલા યાત્રાળુઓએ માગી મદદ
અમદાવાદના નવા વાડજ વિસ્તારનું દંપત્તિ કેદારનાથમાં ફસાયુ
CMO, CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષસંઘવીને ઉદ્દેશીને કર્યુ ટ્વિટ
ઉત્તરાખંડમાં ફરી ભારે વરસાદને કારણે તારાજી સર્જાઇ છે. જેના કારણે કેદારનાથ ગયેલા અનેક ગુજરાતી યાત્રાળુઓ ત્યાં ફસાઈ ચૂક્યા છે. સોશીયલ મીડિયાના માધ્યમથી યાત્રાળુઓએ દેશના ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલને ટ્વીટ ટેગ કરી મદદ માંગી છે.
અમદાવાદના નવા વાડજ વિસ્તારનું દંપત્તિ કેદારનાથમાં ફસાયુ
ઉત્તરાખંડમાં 2 દિવસથી ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. અનેક ગુજરાતી યાત્રાળુઑ ત્યાં ફસાઈ ચૂકયા છે ત્યારે હાલ કેદારનાથમાં ફસાયેલા યાત્રાળુઑએ ટ્વીટ કરી મદદ માંગી છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારનું દંપત્તિ કેદારનાથમાં ફસાયુ હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી 5 મૃત્યુ થયા છે ત્યારે અનેક ગુજરાતી પરિવારો હાલ ઉત્તરાખંડથી મદદની ગુહાર લગાવી રહ્યા છે. તેમાં અરવિદ આહીર નામનો યુવાન ટ્વીટ કરી કહી રહ્યો છે કે અમારે મદદની જરૂર છે. અમે અત્યારે કેદારનાથમાં ફસાઈ ગયા છીએ...અહિયાં ખૂબજ વરસાદ છે છેલ્લા 2 દિવસથી.. આમ મેસેજ ગુજરાત સરકારને ટેગ કરી ટ્વીટ કર્યો છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રાને રોકવામાં આવી છે. ભારે વરસાદને કારણે કુલ 65 જેટલા રસ્તા અત્યાર સુધીમાં બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે હજારો યાત્રીઓ ફસાઈ ગયા છે. જેમા સૌથી વધારે કેદારનાથમાં કુલ 2700 જેટલા નાગરીકો ફસાયા હોવાનું સામે આવ્યું છે.
પર્યટકોનું ધ્યાન રાખવા આદેશ
સમગ્ર મામલે ગૃહમંત્રી અમિતશાહે ફોન પર જાણકારી મેળવી છે , ઉપરાંત મુખ્યમંત્રીએ પણ પર્યટકોનું ખાસ ધ્યાન રાખવા માટેના આદેશ જાહેર કર્યા છે. સાથેજ જે લોકો વરસાદમાં ફસાયા થે. તેમને જરૂર પડે તો હેલિકોપ્ટર દ્વારા પણ મદદ આપવા આદેશ આપ્યા છે.
કેદારનાથમાં 2700 યાત્રાળુંઓ ફસાયા
ભારે વરસાદને કારણે વાતાવરણ બગડી જતા ચારધામ યાત્રાને પૂરી રીતે રોકી દેવામાં આવી છે. વરસાદને કારણે સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે જોકે ઘણા બદા યાત્રાળુંઓ ફસાઈ ગયા છે. જેમા બદ્રીનાથમાં 2 હજાર યાત્રાળુંઓ ફસાઈ ગયા છથે. કેદારનાથમાં 2700 યાત્રાળુંઓ ફસાયા છે અને ગંગોત્રીમાં 300 જેટલા યાત્રાળુંઓ ફસાઈ ગયા છે.
યાત્રાળુંઓને યાત્રાધામમાં રોકોવા અપીલ કરાઈ
દરેક યાત્રાળુંને જ્યા સુધી પરિસ્થિતી ન સુધરે ત્યા સુધી ત્યા સુધી યાત્રા ધામમાંજ રોકવામાં આવ્યા છે. જોકે તંત્ર દ્વારા યાત્રાળુંઓને દરેક સુવિધા આપવામાં આવી રહી છે. ગઈકાલથી ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેથી યાત્રાળુંઓને હાલ યાત્રા રોકવા માટે સરકારે અપીલ કરી છે. સાથેજ દરેક યાત્રાળુ હોટલ અને ધર્મશાળામાં રોકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.