VTV NEWSની મુહિમ રંગ લાવતા તક્ષશિલા અગ્નિકાંડના રિઅલ હીરોની મદદે આવ્યા અનેક ગુજરાતીઓ. જેથી જતીનના પરિવારને અત્યાર સુધીમાં રૂપિયા 35 લાખથી વધુની રકમ મળી.
જતીન નાકરાણીની મદદ માટે VTVની ઝૂંબેશ રંગ લાવી
35 લાખથી વધુ રકમની સહાય જતીનના પરિવારને મળી
ગુજરાતીઓ દિલ ખોલીને કરી રહ્યાં છે મદદ
સુરત તક્ષશિલા અગ્નિકાંડના રિઅલ હીરો જતીન નાકરાણીની મદદ માટે VTVની ઝુંબેશ રંગ લાવી છે. અનેક ગુજરાતીઓ જતીન નાકરાણીની મદદ કરવા VTVની ઝુંબેશમાં કૂદી પડ્યાં છે.
ત્યારે તમને જણાવી દઇએ કે, જતીન નાકરાણીને અવિરત આર્થિક સહાય મળી રહી છે. VTVએ શરૂ કરેલી મુહિમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા જતીનના પરિવારને અત્યાર સુધીમાં 35 લાખથી વધુ રકમની સહાય મળી ચૂકી છે.
સુરત શહેર ભાજપ દ્વારા જતીનને રૂ. 5 લાખની સહાય
જતીનના વતન બઢડાના સુરતમાં રહેતા પરિવારો પણ જતીનની વ્હારે આવ્યા છે. સુરત શહેર ભાજપ દ્વારા પણ રૂ. 5 લાખની સહાય આપવામાં આવી છે. તદુપરાંત સમાજના વિવિધ સંગઠનો, NGO અને અન્ય સંસ્થાઓ દ્વારા પણ જતીનના પરિવારને મદદ મળી રહી છે. એ સિવાય વિદેશમાંથી પણ જતીનના પરિવારને આર્થિક મદદ મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જતીન નાકરાણીને સહાય કરવા VTVએ એક અનોખી મુહિમ ચલાવી છે કે જેના દ્વારા જતીનને આર્થિક સહાય મળી રહે. ત્યારે અત્યાર સુધીમાં જતીનના પરિવારને રૂ. 35 લાખથી વધુ રકમની સહાય મળી ચૂકી છે. ખુદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલ પણ જતીનની વ્હારે આવતા તેઓએ પણ જતીનને રૂપિયા 5 લાખની સહાય કરી છે.
અગ્નિકાંડ દરમ્યાન જતિને નીચે કૂદકો મારતા કોમામાં સરી પડ્યો હતો
જણાવી દઇએ કે, 3 વર્ષ અગાઉ સુરતમાં બનેલી ગોઝારી ઘટના તક્ષશિલા અગ્નિકાંડમાં જતિને 14 બાળકોનો જીવ બચાવ્યો હતો. જેમાં તેને પોતે પણ આગથી બચવા ઉપરથી કૂદકો માર્યો હતો. દરમ્યાન જતિનને માથામાં ઈજા થતા તે કોમામાં સરી પડ્યો હતો. જો કે, હાલમાં તે પથારીવશ છે. ત્યારે તશક્ષિલા અગ્નિકાંડના આ રિઅલ દેવદૂતની મદદ કરવા VTV NEWSએ મહાઅભિયાન ઉપાડતા ખૂણે-ખૂણેથી મદદનો વરસાદ થઇ રહ્યો છે. જેમાં જતીન નાકરાણીને અત્યાર સુધીમાં રૂપિયા 20 લાખથી વધુની સહાય થઇ ચૂકી છે.
ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મદદ કરો. તમે પણ VTVની ઝુંબેશમાં મદદ માટે જોડાઓ.
BANK : Central Bank of India
NAME : BHARAT SAVJIBHAI NAKRANI
ACCOUNT NO : 3256241217
IFSC CODE: CBIN0280516
જતીન પથારીવશ હોવાથી લોનના હપ્તા ભરી ન શકાતા બેંકે ઘર સીલ મારી દીધું હતું
તક્ષશિલા અગ્નિકાંડનો હીરો કહેવાતો જતીન કે જેણે તક્ષશિલાના બીજા માળે ફેશન ડિઝાઈનનો વેપાર શરૂ કરવા માટે 35 લાખની લોન લીધી હતી અને હજુ તો માંડ-માંડ ધંધો સેટ થયો હતો ત્યાં તો 24 મે 2019ના દિવસે તેની દુકાન આગમાં ખાક થઈ ગઈ હતી. બીજી બાજુ વિદ્યાર્થીઓને બચાવવા જતા પણ તેની જિંદગી પણ નર્ક સમાન બની ગઈ. પરિવારનો આધારસ્તંભ કહેવાતો જતીન જ પથારીવશ હોવાથી લોનના હપ્તા ભરી ન શકાતા બેંકે ઘર સીલ મારી દીધું હતું. જેથી પરિવાર રસ્તા પર આવી ગયો હતો. પરંતુ ઉચ્ચ નેતાઓએ મધ્યસ્થી કરતાં 24 કલાક પછી બેંકે રિકવરી પ્રોમિસ લખાવી સીલ ખોલી આપ્યું હતું અને આજે દીકરાની સારવારની જવાબદારી નિવૃત્ત પિતા પર આવી છે. જેના કારણે જતીનનો પરિવાર પાઈપાઈ માટે તરસી રહ્યો છે.
જતીનનો પરિવાર બેંકનું દેવું ચૂકવવા પાઇપાઇ માટે તરસી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, તક્ષશિલાના બીજા માળે ફેશન ડિઝાઈનનો વેપાર શરૂ કરવા માટે 35 લાખની લોન લીધી હતી અને હજુ તો માંડ-માંડ ધંધો સેટ થયો હતો ત્યાં તો 24 મે 2019ના દિવસે તેની દુકાન આગમાં ખાક થઈ ગઈ હતી. તો બીજી બાજુ જતીનની સારવાર કરાવવા માટે પણ તેના પરિવાર પાસે રૂપિયા નથી. ત્યારે આજે જતીનનો આ પરિવાર બેંકનું દેવું ચૂકવવા પાઇપાઇ માટે તરસી રહ્યો છે.