અમેરિકાની તાલિબાનની સાથે ચાલી રહેલી અફઘાન શાંતિ પ્રક્રિયાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું કે તાલિબાની અને અલકાયદાની વચ્ચે નજદીકી વધી રહી છે.
તાલિબાન અને અલકાયદા વચ્ચે હજુપણ છે સાંઠગાંઠ
તાલિબાને અમેરિકાને અલકાયદાથી દૂર થવાનો વાયદો કર્યો હતો
યૂએનમાં ખુલાસો ''અફઘાનિસ્તાનમાં હજુ પણ અલકાયદાના આતંકી સક્રિય''
તાલિબાને યૂએનના દાવાને ખોટો ગણાવ્યો
યુએનમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તાલિબાન અને અલકાયદા વચ્ચે હજુપણ સાંઠગાંઠ છે. તાલિબાને શાંતિ પ્રક્રિયા દરમિયાન અમેરિકાને અલકાયદાથી દૂર થવાનો વાયદો કર્યો હતો. ત્યારે હાલમાં યૂએનમાં ખુલાસો થયો છે કે અફઘાનિસ્તાનમાં હજુ પણ અલકાયદાના આતંકી સક્રિય છે.
યુએનએ અલકાયદાના અલ-જવાહિરીના તાલિબાન સાથે નજદીકી સંબંધોનો ખુલાસો કર્યો છે. જેના કારણે લોકોના હોશ ઉડી ગયા છે. જો કે તાલિબાને યૂએનના દાવાને ખોટો ગણાવ્યો છે. તાલિબાને કહ્યું કે શાંતિ વાર્તા દરમિયાન તેમણે અલકાયદા સાથે કોઇ સલાહ લીધી નથી. એટલું જ નહીં તાલિબાને એમ પણ કહ્યું કે કેટલાક લોકો અફઘાનિસ્તાનમાં શાંતિ ખરાબ કરવાનો પ્રયાસ કરે છે.
આ દરમિયાન અફઘાનિસ્તાન માટે અમેરિકાના વિશેષ દુત જલમય ખલીલજાદે કહ્યું કે ઈરાન અફઘાન શાંતિ પ્રક્રિયાની વિરુદ્ધમાં છે. ઈરાન ઈચ્છે છે કે અમેરિકા અફઘાની યુદ્ધમાં લાગેલું રહે અને તે શાંતિ પ્રક્રિયાનું સમર્થન નથી કરી રહ્યું. ઈરાનના બે ચહેરા છે.