લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિ મળતા મોદી સરકારના નવા મંત્રીમંડળને લઇને અટકળો તેજ થઈ છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી નવી સરકારમાં 4-5 મંત્રીઓ હશે. જેમાં રાજ્યના બે સાંસદને મળી શકે કેબિનેટમાં અને બે સાંસદોને રાજ્યકક્ષાના મંત્ર મંડળમાં સ્થાન મળી શકે છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને નવા મંત્રીમંડળમાં સૌથી પાવરફુલ મંત્રાલય મળી શકે છે. ગુજરાતના મંત્રીઓની વાત કરીએ તો મનસુખ માંડવિયાને નવી સરકારમાં પ્રમોશન મળી શકે છે. નવી સરકારમાં મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રાલય મળી શકે.
આ ઉપરાંત પુરષોત્તમ રૂપાલાને ફરીવાર રિપીટ કરવામાં આવી શકે છે. તો ડો. કિરીટ સોલંકી અને સી.આર. પાટીલને પણ મળી શકે સ્થાન આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ગુજરાતમાંથી મહિલાને સ્થાન મળે તો બે મહિલા સાંસદ આ પદની રેસમાં હશે. જેમાં ભારતીબેન શીયાળ અને રંજનાબેન ભટ્ટ માંથી કોઈ એક મહિલા સાંસદને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. સુત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે મોદીની નવી કેબિનેટ 30 મેના રોજ શપથગ્રહણ કરી શકે છે.
અમિત શાહ બની શકે છે રક્ષામંત્રી
મહત્વનું છે કે, આ પહેલા કેન્દ્રીય મંત્રી મંડળ સાથે પ્રધાનમંત્રી મોદીના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી. જેમાં 16મી લોકસભાના વિસર્જન માટે ભલામણો કરાઈ હતી. કારણ કે, આગામી 3 જૂનના મોદી સરકારનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. જે બાદ નવી લોકસભાનું ગઠન થશે. નવી મોદી સરકારમાં અનેક નવા ફેરફાર પણ જોવા મળી રહ્યા છે. એવા પણ સંકેત છે કે, મોદી કેબિનેટમાં અમિત શાહને રક્ષામંત્રીનું પદ પણ મળી શકે છે. તો ગુજરાતના કેટલાક નેતાઓને પણ સ્થાન મળી શકે છે.