હવે ઇતિહાસ માં પ્રથમ વખત અણહિલવાડ પાટણ પર બૉલીવુડ ને પણ ટક્કર આપે એવી ફિલ્મ નાયિકાદેવી ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રઈ છે, જુઓ આ ફિલ્મનું ટ્રેલર
ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીનું ટ્રેલર થયું રિલીઝ
પાટણનાં મહારાણી નાયિકા દેવીની કથા
જાણો ફિલ્મ ક્યારે થશે રિલીઝ
ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીનું ટ્રેલર થયું રિલીઝ
મહારાણી લક્ષ્મીબાઈનું નામ તો બધાએ સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનાં સર્વપ્રથમ યોદ્ધા રાણી કોણ હતા. 12મી સદીમાં પાટણનાં મહારાણી નાયિકા દેવી ભારતનાં સર્વપ્રથમ રાણી હતા, જે યુદ્ધકળામાં પણ પારંગત હતા, જેમણે મોહમ્મદ ઘોરીને યુદ્ધમાં ધૂળ ચટાવી હતી. હવે ઇતિહાસ માં પ્રથમ વખત અણહિલવાડ પાટણ પર બૉલીવુડ ને પણ ટક્કર આપે એવી ફિલ્મ નાયિકાદેવી ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રઈ છે, જેનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન એક ઈતિહાસ પર આધારિત ફિલ્મ છે. આ 12મી સદીની કથા છે. આ ફિલ્મ ભારતની પ્રથમ યોદ્ધા રાણી નાયિકા દેવીનાં જીવનની ઝલક બતાવશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. રૂંવાડા ઉભા થઇ જાય એવા ટ્રેલરને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મ 6 મે 2022નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મનાં કલાકારો
આ ફિલ્મમાં ખુશી શાહ મુખ્ય ભૂમિકા નિભાવવા જઈ રહી છે. તેની સાથે ચંકી પાંડે, મનોજ જોશી, ચિરાગ જાની પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ચંકી પાંડે આ ફિલ્મમાં મોહમ્મદ ઘોરીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર છે પાર્થ ભરત ઠક્કર, જેમના એનર્જીભર્યા મ્યુઝિકને કારણે ટ્રેલરમાં અલગ જ પ્રકારનો જુસ્સો જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં ચિરાગ જાની નાયિકા દેવીનાં પતિના રોલમાં છે. નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન ગુજરાતી સિનેમાની પહેલી ઈતિહાસ પર આધારિત ફિલ્મ હશે, જેને ટ્રી એન્ટરટેઈનમેંટ પ્રોડ્યુસ કરી રહ્યું છે. ફિલ્મનું નિર્દેશન નીતિન જી. દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મનાં પ્રોડ્યુસર ઉમેશ શાહ કહે છે કે હું આ ફિલ્મને અત્યાર સુધી જે પ્રતિસાદ મળી રહ્યો છે, તે જોઇને ખૂબ જ ખુશ છુ. આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ચંકી પાંડે. તેમણે પોતાનો રોલ પરફેક્શનથી નિભાવ્યો છે અને અમે સ્ક્રીન પર મોહમ્મદ ઘોરીની ઝલક દર્શકો સુધી પહોંચાડવા માટે આતુર છીએ. જ્યારે નિર્દેશક નીતિને પણ ચંકી પાંડેનાં વખાણ કરતા કહ્યું છે કે ચંકી પાંડેએ મોહમ્મદ ઘોરીનાં પાત્ર સાથે ન્યાય કર્યો છે.
કોણ હતા રાણી નાયિકા દેવી?
ચાલુક્ય વંશનાં મહારાણી નાયિકા દેવીએ પાટણ પર વર્ષો સુધી રાજ કર્યું હતું. તેમણે 1178માં થયેલ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને પારાજીત કર્યો હતો. મોહમ્મદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો એ પહેલા પાટણનાં બહાદૂર મહારાણી નાયિકા દેવીએ તેને ધૂળ ચટાડી હતી. નાયિકા દેવી કદમ એટલે કે આજના ગોવાના મહામંડલેશ્વર પરમાનીનાં પુત્રી હતા. નાયિકા દેવીનાં પતિ અજયપાલ સિંહની એમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી. ત્યારે એક પુત્રનાં માતા નાયિકા દેવી પર પાટણનું રાજ સંભાળવાની જવાબદારી આવી પડી. તેઓ યુદ્ધકળામાં પણ પારંગત હતાં. એક વિધવા રાણી પોતાનો શું સામનો કરી શકશે એમ ધારી મોહમ્મદ ઘોરી પોતાના સૈન્ય સાથે ગુજરાત પર ધસી આવ્યો હતો. આબુ નજીકના સ્થળે થયેલા યુદ્ધમાં નાયિકા દેવીની આગેવાની હેઠળનાં લશ્કરે ઘોરીને હરાવ્યો હતો. ઘોરી ખરાબ રીતે ઘાયલ થઈને હાર્યો હતો. તે પછી ઘોરીએ 11 વર્ષ સુધી ભારત પર ચઢાઈ કરવાની હિંમત કરી શક્યો નહોતો.