દેવ દર્શન - ગધેથડ ગાયત્રી મંદિર
નાગવદર સ્થિત નાના ગાયત્રી મંદિરની સ્થાપના 44 વર્ષ પહેલા કરવામાં આવી છે, જ્યારે ગધેથડ સ્થિત ગાયત્રી આશ્રમની સ્થાપના લાલબાપુએ 17 વર્ષ પહેલા કરી છે. ગાયત્રી મંદિરનું નિર્માણ શિલ્પ વાસ્તુ અને ગ્રહશાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું છે.
ઉપલેટાથી ર૦ કિ.મી. દૂર ગધેથડ ગામ અને વેણુ-ર ડેમના કાંઠા ઉપર ગાયત્રી આશ્રમની સ્થપાના કરવામાં આવી છે. આશ્રમની સ્થાપના બાદ અહીં ગાયત્રી માતાજીના નવા મંદિરનું નિર્માણ સાત વર્ષ પહેલા કરવામાં આવ્યું છે.
અહીં ગાયત્રી માતાજીની મૂર્તિ ઉપરાંત સરસ્વતી માતાજી અને લક્ષ્મી માતાજીની મૂર્તિ પણ છે.
નાનપણથી જલાલબાપુને ગાયત્રી માતામાં અપાર શ્રદ્ધા હતી. 14 વર્ષની ઉંમરમાં જ તેમને વૈરાગ્ય લાગ્યું હતું. આ સમયે તેઓ પોતાની આવકનો અડધો ભાગ માતાજીના કાર્યમાં વાપરતા હતા.
44 વર્ષ પહેલા તેઓએ નાગવદર ગામની સીમમાં ગ્રામજનોની મદદથી નાનું ગાયત્રી મંદિર બનાવ્યું હતું. છેલ્લા 17 વર્ષથી તેઓ ગધેથડ આવ્યા છે.
શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સીલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12-05 થી 12-48 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 11-06 થી બપોરે 12-27 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
------------------ મેષ (અ.લ.ઈ.)
વેપારમાં સારો લાભ જણાશે
સંતાન વિષયક ચિંતા દૂર થશે
વિવાદોવાળા કામમાં લાભ જણાશે
મૂડી રોકાણમાં ફાયદો જણાશે