ચીન માં કોરોના વાયરસ ને કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે દુનિયા ના અનેક દેશો માં કોરોના ની અસર વર્તાઈ રહી છે. ત્યારે કોરોના વાયરસ ને કારણે 300 થી વધુ ભારતીયો ઈરાન માં ફસાઈ ગયા છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયો તમિલનાડુ અને ગુજરાત ના છે. ફસાયેલા માં મોટાભાગ ના ગુજરાત ના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માછીમાર પરિવારો માં હાલે ચિંતા નો માહોલ છવાયો છે. ત્યારે પરિવારે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે પોતાના પરિજન ને હેમખેમ માદરે વતન લાવવા માંગ કરી રહયા છે.
ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર, 300થી વધુ ભારતીયો ઈરાનમાં ફસાયા
કોરોનો વાઇરસ ના કારણે ચીન માં હાહાકાર મચી જવા પામ્યો છે ,ત્યારે હવે કોરોના નો કહેર વિશ્વ ના અન્ય દેશો માં પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આરબ દેશો માં પણ કોરોના વાઇરસ દેખા તા ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે ઈરાન માં પણ કોરોના વાઇરસ ના પોઝિટિવ કેસ મળી આવતા સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. કોરોના વાયરસ ને કારણે 500 થી વધુ ભારતીયો ઈરાન માં ફસાઈ ગયા છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયો તમિલનાડુ અને ગુજરાત ના છે. ફસાયેલા માં મોટાભાગ ના ગુજરાત ના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના છે. જેઓ વતન પરત આવવા ભારત સરકાર સમક્ષ મદદ ની માંગ કરી રહ્યા છે.
ઈરાન સહિત ના દેશો માં પણ તેની અસર જોતા આંતરાષ્ટ્રિય ફલાઇટો કેન્સલ કરવા માં આવી
વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકાના નારગોલ , ધોડીપાડા, મરોલી, કલગામ વગેરે વિસ્તારમાંથી માછીમારી કરવા 300 થી વધુ માછીમાર ઈરાન ગયા હતા.જોકે ચીન માં કોરોના વાયરસ ની અસર અને ઈરાન સહિત ના દેશો માં પણ તેની અસર જોતા આંતરાષ્ટ્રિય ફલાઇટો કેન્સલ કરવા માં આવી છે. આથી આવી પરિસ્થિતિ માં વતન પરત આવવા માંગતા 300 થી વધુ ભારતીયો ઈરાન માં ફસાઈ ગયા છે.
ઉમરગામ માં દરિયાઈ પેટ્ટી ના ગામો માં વસતા માછીમાર સમાજ ના લોકો માં ભારે ચિંતા જોવા મળી
આથી સોશિયલ મીડિયા ના માધ્યમ થી મદદ ની માગ કરવ વિડીયો વાઇરલ કરી ભારત સરકાર સમક્ષ મદદ ની માંગ કરી રહ્યા છે..આ તમામ લોકો ઈરાન ગયેલા લોકો 340 જેટલા લોકો ઈરાનના ચીરૂ બંદર અને આસપાસ ના વિસ્તાર માં અટવાયા છે. ત્યારે ઉમરગામ માં દરિયાઈ પેટ્ટી ના ગામો માં વસતા માછીમાર સમાજ ના લોકો માં ભારે ચિંતા જોવા મળી રહી છે. પરિવાર હાલ તો વોટ્સ અપ થી ઈરાન ના તેમના સગા સંબંધી સાથે સંપર્ક માં છે પરંતુ ઈરાન માં ફસાયેલ તેમના સ્વજન ની વિકટ પરિસ્થિતિ ના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
300 થી વધુ ભારતીયો ને વતન પરત લાવા જરૂરી મદદ પૂરી પાડવા પત્ર લખ્યો
મહત્વપૂર્ણ છે કે, રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકર પણ ઉમરગામ ના છે અને તેમના ગામ ના પણ અનેક લોકો ઈરાન માં ફસાઈ ગયા હોવાથી. આફતમાં અટવાયેલા માછીમારોના પરિવારજનોએ ગાંધીનગર માં રાજ્યના મંત્રી રમણભાઇ પાટકરને સમગ્ર પરિસ્થથિતિની જાણ કરતા રાજ્ય મંત્રી રમણભાઇ પાટકરે કેન્દ્રમાં સંબંધિત વિભાગને ઈરાનમાં અટવાયેલા 300 થી વધુ ભારતીયો ને વતન પરત લાવા જરૂરી મદદ પૂરી પાડવા પત્ર લખ્યો છે.
સરપંચે પણ નારગોલ ના માછીમાર ની મુલાકાત લઇ પરિવાર ને હૈયા ધારણા આપી
પોતાના સ્વજનો વિદેશમાં ફસાઈ ગયા હોવાથી. અહી તેમનાં પરિવારજનો ચિંતિત છે. પરિવારજનો પણ ભારત સરકાર ને વિદશમાં ફસાયેલા તેમના સ્વજનો ને હેમખેમ પરત લાવવા સરકાર મદદ કરે તેવી માગ કરી રહ્યાં છે. સ્થાનિક આગેવાનો અને સરપંચે પણ નારગોલ ના માછીમાર ની મુલાકાત લઇ પરિવાર ને હૈયા ધારણા આપી હતી.
હજુ પણ 8 દિવસ સુધી ચાલે તેટલો ખોરાક બોટમાં હોવાથી ચીરૂ બંદર પર ફસાયેલા માછીમારો સ્વસ્થ
ચીન ના વુહાન શહેર થી શરુ થયેલ કોરોના વાઇરસ નો કોપ હવે વિશ્વ ના અનેક દેશો ના લોકો ને કંપાવી રહ્યો છે. ત્યારે ઈરાન માં ફસાયેલ ભારતીય માછીમારો હાલ તો પોતાની બોટ માં સલામત છે અને તેમનું સ્વસ્થ પણ સારું છે. હજુ પણ 8 દિવસ સુધી ચાલે તેટલો ખોરાક બોટમાં હોવાથી ચીરૂ બંદર પર ફસાયેલા માછીમારો સ્વસ્થ છે. પરંતુ આગામી દિવસમાં જો ભારત સરકાર કઈ નકકર પગલાં નહિ લે તો આ માછીમારો ની પરિસ્થિતિ કરુણ થાય તેવી શક્યતા ને જોતા પરિવારની આંખો ભીની થઇ રહી છે. ત્યારે ભારત સરકાર તાત્કાલિક આ માછીમારોને માદરે વતન લાવે તેવી માંગ હાલ માછીમારોના સ્વજનો કરી રહયા છે.