વિશ્વ પર અણધારી આવેલી કોરોના વાયરસ નામની આફત સામે દુનિયાના તમામ દેશોએ જંગ છેડી છે. ભારતમાં પણ પ્રધાનમંત્રી દ્વારા અને વિવિધ રાજ્યોની સરકાર દ્વારા રાહત ફંડની શરૂઆત કરવામાં આવી છે. આ રાહત ફંડમાં દેશનો દરેક નાગરિક યથાશક્તિ ફાળો આપે છે. છેલ્લો દિવસ ફેમ મલ્હાર ઠાકરે પણ દાન આપ્યું હતું.
કોરોના સામેની જંગમાં મલ્હાર ઠાકરે પણ આપ્યું દાન
1.70 હજારનું આપ્યું દાન
સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, હિન્દી અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સની જેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર અને મોર્ડન ગુજરાતી ફિલ્મના જાણીતા અદાકાર મલ્હાર ઠાકરે કુલ 1,70,000 રૂપિયાનું યોગદાન આપ્યું છે.
મલ્હાર ઠાકરે દાન અંગે સોશિયલ મીડિયા એકાન્ટ પર કરી જાહેરાત
મલ્હારે ઠાકરે પોતોના ઓફિસિયલ ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફંડ આપવા અંગેની પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, હું પીએમ રાહત ફંડ તથા અન્ય ડિવિઝનને મદદ કરવાના શપથ લઉ છું. લોકોને પડતી તકલીફો જોઇને મને પણ ઘણું દુ:ખ થાય છે. હું આશા રાખું છું કે, મારું યોગદાન આપણા દેશના નાગરિકોને કોઇને કોઇ રીતે મદદરૂપ થશે.
મલ્હાર ઠાકરે કરેલી દાનની જાહેરાતમાં 1 લાખ રૂપિયા પીએમ રિલીફ ફંડમાં, 20,000 રૂપિયા મુંબઈ થિયેટર ઇન્ડસ્ટ્રીના ડેઇલી વેજર્સને, 20,000 રૂપિયા ગુજરાત ઇન્ડસ્ટ્રીના અમદાવાદ ડેઈલી વેજર્સને, 25,000 રૂપિયાની સ્પોટ બોય્ઝને કિટ અને 5,000 રૂપિયા રખડતા શ્વાન માટે આપ્યા છે.
હિરાબાએ પણ આપ્યું 25000 નું દાન
દેશ પર આવેલી કોરોના આફતને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી રાહત ફંડ તથા મુખ્યમંત્રી રાહત ફંડની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબેને મોદીએ કોરોના વાયરસને પહોંચી વળવા માટે પીએમ કેયર ફંડમાં 25 હજાર રૂપિયાનું દાન આપ્યું છે.
રતન ટાટાએ 1500 કરોડનું આપ્યું આપ્યા
રતન ટાટાએ સૌથી પહેલા ટાટા ટ્રસ્ટ મારફતે રૂા.500 કરોડની મદદથી કોમ્યુનિટી મજબૂત કરવા અને તેનું રક્ષણ કરવાની વાત કરી છે. 82 વર્ષિય ટાટાની આ જાહેરાતના અઢી કલાક બાદ ટાટા સન્સે પણ રૂપિયા 1000 કરોડની જાહેરાત કરી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 500 કરોડનું આપ્યું દાન
તો બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પીએમ રિલીફ ફંડમાં 500 કરોડ આપવાની જાહેરાત કરી છે, તે ઉપરાંત કંપની 5-5 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર તથા ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ આપશે. કંપની તરફથી સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યુ છે કે, તે 5 લાખ લોકોને આગામી 10 દિવસ ભોજન પૂરુ આપશે. એટલે કે 50 લાખ લોકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.