ગુજરાતમાં કોરનાનો કહેર યથાવત છે ત્યારે અમેરિકામાં કોરોનાના તાંડવમાં 3.66 લાખ લોકો કોરોનાગ્રસ્ત થઈ ચુક્યા છે. જેમાંથી 11000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે ગુજરાતના એક ડોક્ટર લંડનમાં કોરોનાના દર્દીઓની સેવા કરતા કરતાં કોરના ગ્રસ્ત થયા હતા અને આખરે તેમનું મૃત્યુ થયું હતુ.
60 વર્ષીય ડો.જીતેન્દ્ર રાઠોડનું કોરોનાથી થયુ મોત
અમેરિકામાં કોરોના ગ્રસ્ત લોકોને આપી રહ્યાં હતા સારવાર
સારવાર દરમિયાન ડો,જીતેન્દ્ર રાઠોડ પણ થયા હતા સંક્રમિત
નવસારીના ડોક્ટરનું કોરનાવાયરસથી અમેરિકામાં મોત થઈ ગયુ છે. ડો.જીતેન્દ્ર રાઠોડનું અમેરિકામાં કોરોનાથી મોત થયું છે. ડો.જીતેન્દ્ર રાઠોડ વર્ષોથી લંડનમાં સ્થાયી હતા.
કોરોનાગ્રસ્ત લોકને આપી રહ્યા હતા સારવાર
અમેરિકામાં કોરોના ગ્રસ્ત લોકોને સારવાર આપી રહ્યાં હતા . 60 વર્ષીય ડો.જીતેન્દ્ર રાઠોડનું કોરોનાથી મોત થયુ છે. સારવાર દરમિયાન ડો,જીતેન્દ્ર રાઠોડ પણ થયા હતા સંક્રમિત. અને કોરનાથી લોકને બચાવતા બચાવતા પોતે કોરનાનો શિકાર થઈ ગયા હતા.
અમેરિકામાં 11 હજાર લોકોના મોત
અમેરિકામાં કોરના હાહાકાર મચાવી રહ્યો છે. 3.66 લાખથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે જ્યારે 11 હજારથી વધુ લોકોના કોરોનાવાયરસને કારણે જીવ ગયા છે.