હાર્દિક પંડયાને ટી 20ની કપ્તાની આપવા પાછળનું એક જ કારણ હતું કે રોહિત શર્માનો વર્કલોડ ઓછો કરવો અને એ માટે જ હાર્દિક પંડયાને સોંપવામાં આવી હતી આ કેપ્ટનશિપ..
ભારતીય સિલેક્ટર્સના હિસાબે તેઓ હાર્દિકની કેપ્ટનશીપથી ઘણા પ્રભાવિત થયા છે
સહેવાગ - BCCI એ રોહિત શર્માનો વર્કલોડ મેનેજ કરવા વિશે કઈંક વિચારવું જોઈએ
રોહિત શર્માની વધતી ઉંમર જોઈને BCCI એ તેમના વર્કલોડ પર ધ્યાન દોરવું જોઈએ
લાગે છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ વીરેન્દ્ર સહેવાગની વાત સાંભળી અને સમજી છે. ત્યારે જ તો રોહિત શર્માનો વર્કલોડ ઓછો કરવાના એમની એ વાત પછી ટી20ના કપ્તાન હાર્દિક પંડયાને બીજી જવાબદારી સોંપવાની વાતોએ જોર પકડયું છે. હાર્દિક તેની કેપ્ટનશીપમાં હાલ આયરલેન્ડ સામે ટિમ ઇન્ડિયાની યુવા ટોળકીને લઈને લીડ કરી રહ્યા છે અને હાલ એવી વાતો થઈ રહી છે કે ફક્ત આ ટી 20 માં જ નહીં પણ આગળ ઘણા મેચોમાં હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરતા નજર અવી શકે છે. ટી20ના કપ્તાન હાર્દિક પંડયાને આ જવાબદારી સોંપવા પાછળ ભારતીય ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સની એક જ મનોવૃત્તિ હતી કે ગમે તેમ કરીને રોહિત શર્માનો વર્કલોડ ઓછો કરવો. જો કે ભારતીય સિલેક્ટર્સના હિસાબે તેઓ હાર્દિકની કેપ્ટનશીપથી ઘણા પ્રભાવિત થયા છે અને તેમને ભવિષ્યમાં આ હોદ્દો આપી શકે છે.
જો કે ટીમ ઇન્ડિયાના સિલેક્શન પેનલ સાથે જોડાયેલા એક અંદરના સદસ્યએ જણાવ્યું હતું કે હાર્દિક પંડયાની ટી20ની કેપ્ટનશીપ વધારવા વિશે ત્યાં વિચારણા ચાલી રહી છે. રોહિત શર્માના વર્કલોડને ઓછો કરવા માટે આ વાત પર જોરશોરપૂર્વક ચર્ચા પણ થઈ રહી છે. સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે તે લોકો રોહિત શર્માને રિપ્લેસ નથી કરી રહ્યા પણ તેનો વર્કલોડ ઘટાડવા માટે હાર્દિકને અમે થોડી જવાબદારી સોંપવાનું વિચારી રહ્યા છીએ.
એવું લાગી રહ્યું છે કે આખરે BCCIએ કોઇની વાત સાંભળી અને સમજીને ખેલાડીના વર્કલોડ ઓછા કરવા માટે વિચાર્યું. ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગે તેની વાત રાખતા કહ્યું હતું કે BCCI એ રોહિત શર્માનો વર્કલોડ મેનેજ કરવા વિશે કઈંક વિચારવું જોઈએ. રોહિત શર્માની વધતી ઉંમર જોઈને BCCI એ તેમના વર્કલોડ પર ધ્યાન દોરવું જોઈએ જેથી તેઓ ટેસ્ટ અને વનડે સિરિજમાં પોતાની જાતને માનસિક અને શારીરિક રીતે કરો તાજા રાખી શકે. સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે જો BCCIની નજરમાં કોઈ એવો બીજો ક્રિકેટર હોય છે રોહિતનો ભાર ઓછો કરવામાં મદદ કરી શકે તો તેને ટી20ની કૅપ્ટનશીપ આપી દેવી જોઈએ.