સુરતઃ વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ સફારી પાર્ક લઇને ગાંધીનગરમાં મહત્વની જાહેરાત કરી છે. જયાં ગણપત વસાવાએ કહ્યું કે સુરતના માંડવીમાં 50 હેક્ટરમાં દીપડાનો સફારી પાર્ક બનાવવામાં આવશે.
નર્મદાના ટીલકવાડામાં ટાઇગર સફારી પાર્ક બનશે. તો ટીલકવાડા સફારી પાર્કમાં 8 વાઘ રહેશે. અને આંબરડી સફારી પાર્કમાં પણ 3 સિંહો મુકાયા છે. આંબરડી પાર્કમાં વધુ 5 સિંહ મુકવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આવનારા દિવસોમાં વધુ 5 સિંહ મુકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સુરતના માંડવીમાં 50 હેક્ટરમાં દીપડાનો સફારી પાર્ક બનાવવામાં આવશે. ત્યારે આ સાથે બીજા બે નવા સફારી પાર્કને પણ મંજૂરી આપવામાં આવી છે. એક સુરતના માંડવીમાં ડાંગમાં દીપડા માટે અને તિલકવાડામાં વાઘ માટે સફારી પાર્ક બનાવવામાં આવશે.
64 હેક્ટર જમીનમાં આ ટાઇગર સફારી પાર્ક બનાવવામાં આવશે. ગુજરાત એવું પહેલું રાજ્ય બનશે કે જ્યાં 3 સફારી પાર્ક હશે તેમાં ટાઈગર સફારી પાર્ક અને લાયન સફારી પાર્ક બંને હશે.