હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટી શકે છે.'
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત
રાજ્યમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે
દક્ષિત ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે
રાજ્યમાં એક તરફ ચોમાસું વહેલાં આવશે તેવી આગાહી વચ્ચે હવામાન વિભાગે હવે ગરમીને લઇને વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, 'રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 23 અને 24 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોનું તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે.
તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના
હવામાન વિભાગના અમદાવાદ વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 'ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આગામી 26 કલાક સુધી હાલનું તાપમાન યથાવત રહેશે. ત્યાર બાદ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે.' તેઓએ જણાવ્યું કે, 'પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.'
અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ યથાવત
અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી. જેને લઈને અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી આસ-પાસ રહેવા પામ્યો છે, આ વચ્ચે આવતીકાલે પણ શહેરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં 3 દિ' બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનના પારામાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે આગામી ત્રણ દિવસો સુધીમાં ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આ બાદ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે, હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી,પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.