ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા હાર બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડ એક્શન મોડમાં આવ્યું છે. આગામી ટૂંક સમયમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ બદલાવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના બદલાશે પ્રદેશ અધ્યક્ષ
અર્જુન મોઢવાડીયા અથવા ડૉ.જીતુ પટેલ બનશે નવા અધ્યક્ષ
ગમે તે ઘડીએ બદલાઈ જશે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા હાર બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડ એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આગામી ટૂંક સમયમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ બદલાવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક અઠવાડિયામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની જગ્યાએ કોંગ્રેસ હાઈકમાન્ડ નવું નામ આગામી સમયમાં જાહેર કરશે.
ગમે તે ઘડીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બદલાઈ શકે છે
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા જગદીશ ઠાકોરને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જેને લઈને કોંગ્રેસ હાઈ કમાન્ડ આગામી એક અઠવાડિયામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની જવાબદારી અન્ય વ્યક્તિને સોંપી શકે છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના નામને લઈને હાલ અર્જુન મોઢવાડિયા અથવા ર્ડા.જીતુ પટેલનું નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે. ત્યારે ગમે તે ઘડીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બદલાઈ શકે છે.
કોંગ્રેસે જાહેર કર્યું વિપક્ષ નેતાનું નામ
છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તેની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવાયા છે. શૈલેષ પરમાર દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય છે. જ્યારે અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે.
આંકલાવ બેઠક પરથી બાજી મારી ગયા હતા અમિત ચાવડા
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી આણંદ જિલ્લાની આંકલાવ બેઠક પર અમિત ચાવડાની ફરી જીત થઈ હતી. આ બેઠક પર કોંગ્રેસે ફરી અમિત ચાવડાને રિપીટ કર્યા હતા અને લોકોએ ફરી ફરી કોંગ્રેસના આ ઉમેદવારને જ પસંદ કર્યા.
કોંગ્રેસનો ગઢ કહેવાય છે આંકલાવ બેઠક
ગુજરાત કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હોવાથી આ બેઠક પર દરેકની નજર હતી. વાસ્તવમાં આંકલાવ વિધાનસભા બેઠકની રચના વર્ષ 2012માં નવા સીમાંકન બાદ કરવામાં આવી હતી. આ બેઠક પર વર્ષ 2012થી જ કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે એટલે આ બેઠકને કોંગ્રેસનો ગઢ કહી શકાય છે.