અમદાવાદ: પાટીદાર સમિતિમાં વિભાજન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ મામલે પાટીદાર સંઘર્ષ સમિતિએ સાફ જણાવી દીધું છે કે આગામની સમયમાં વધારના મુદ્દાઓ પર નહીં માત્ર પાટીદાર અનામત મુદ્દે જ લડાઇ કરવામાં આવશે.
પાસના કેટલાક નેતાઓએ જણાવ્યું હતું કે પાસ એક વિચાર લઇને ચાલે છે જેમાં કોઇ વ્યક્તિને કોઇ સ્થાન નથી. આ ઇશારો સીધો જ પાટીદાર આંદોલનના પાયાના કાર્યકર હાર્દિક પટેલ તરફ કરવામાં આવ્યો હતો. પાસના સંગઠન પ્રભારી દિલીપ સાબવાના જણાવેલ કે અમે નક્કી કર્યું છે કે આગામી સમયમાં પાસનો કોઇપણ કાર્યકર ચૂંટણી લડશે નહીં. આ નિર્ણય 140 તાલુકાના કાર્યકરોની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં લગભગ 450 જેટલા પાસના કાર્યકરો હાજર રહ્યા હતા.
હાર્દિક પટેલ વગર યોજાઇ બેઠક
ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલનના એપી સેન્ટર ગણાતા બોટાદમાં તાજેતરમાં યોજાયેલ એક બેઠકમાં 140 તાલુકાઓના પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા હતા. જો કે પાટીદાર સમિતિની આ બેઠક પ્રથમવાર હાર્દિક પટેલનો કોઇપણ ફોટો જોવા મળ્યો નહતો.
જો કે આ બેઠકમાં ભગત સિંહ શિવાજી અને ખોડલ માંના પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આ બાબત પરથી સ્પષ્ટ જોવા મળ્યું હતું કે આગામી સમયમાં પણ ભાજપ વિરૂધ્ધ પાટીદાર આંદોલન યથાવત રહેશે. આપને જણાવી દઇએ કે દિલીપ સાબવા વ્યવસાયે શિક્ષક છે અને તેમણે આંદોલન માટે પોતાની સરકારી નોકરી છોડી આ આંદોલનમાં જોતરાયા છે.