કમોસમી વરસાદે ખેડૂતોના ખેતર રમઘોળ્યા બાદ પણ ઉભા થવા મથી રહેલા ખેડૂતો તંત્રની બેદરકારીનો ભોગ બન્યા છે. વિરમગામમાં નર્મદા કેનાલમાં વધુ પાણી છોડી દેવાને કારણે પાણી ફરી વળ્યા છે જેને કારણે ખેડૂતોનો રવીપાક બરબાદ થઈ ગયો છે. જગતનો તાત પહેલા કુદરત સામે આને હવે તંત્ર સામે લાચાર બનીને જોઈ રહ્યો છે. તંત્ર દ્વારા કાયમ બેદરકારી દાખવવામાં આવે છે.
વિરમગામના સુરજગઢ ગામમાં ઘુસ્યા પાણી
નર્મદા કેનાલ ઓવરફલો થતા ખેતરોમાં ઘુસ્યા પાણી
300 વિઘાના રવી પાકને નુકસાનનો અંદાજ
વિરમગામના આવેલી નર્મદા કેનાલ ઓવરફલો થતા પાણી ખેતરોમાં ઘુસ્યા છે. સુરજગઢ ગામના વિસ્તારમાં પાણી ઘુસ્તા ખેડૂતોના રવી પાકને નુકસાન થઈ શકે છે. પાણીની માંગ ન કરી હોવા છતા કેનાલમાં પાણી છોડાયું હોવાનું આક્ષેપ કરાયો છે. પાણી ઓવર ફેલો થતા રવી પાકને નુકસાન થાય તેવી આંશકા શેવાઈ રહી છે. 300 વિઘાના રવી પાકમાં પાણી ફરી વળ્યાં છે.
ઉઠી રહ્યા છે પ્રશ્નો
ખેડૂતોની આવી દશા કોના પાપે થઈ? મહેનત પર પાણી ફર્યુ તે માટે જવાબદાર કોણ? ક્યાં સુધી પીડાતા રહેશે ખેડૂતો? લોકોના પાકનો નાશ થયો તેની ભરપાઈ કોણ કરશે? કોની બેદરકારીના કારણે ખેતરમાં પાણી ફરી વળ્યુ? જવાબદારો સામે ક્યારે લેશો પગલાં? હવે ખેડૂતોને આનું વળતર આપશો ખરા?