રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામે દેશભરમાં અનેક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજ અને સ્કૂલ ચાલે છે. પરંતુ ગાંધીના નામે ચાલતી આ સંસ્થાઓ ગાંધી મુલ્યોનું કેટલું પાલન કરે છે. તે એક સવાલ છે. પરંતુ આજે અમે આપને એક એવી યુનિવર્સિટીમાં લઈ જશું. જે ગાંધી દ્વારા જ સ્થપાયેલી છે અને તેની સ્થાપનાને 100 વર્ષ થવા જઈ રહ્યા છે. તેમ છતાં આજે તે ગાંધી મૂલ્યોને વળગી રહી છે.
ગુજરાતની એક અનોખી સંસ્થા
વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ આજેપણ ભણી રહ્યા છે ગાંધી વિચારના પાઠ
સમય સાથે શિક્ષણમાં તે આધુનિક્તા લાવી છે. પરંતુ ગાંધીના બુનિયાદી શિક્ષણને છોડ્યું નથી. ત્યારે અમે આ ખાસ યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યા. જ્યાં પહોંચતા જ એક અલગ અનુભૂતિ થઈ. ચારે બાજુ લીલોતરી અને એક દમ શાંતિ. શહેરના ઘોઁઘાટમાંથી ગામડામાં આવી ગયા હોય તેવો આનંદ થયો. સૌથી પહેલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને તેની પ્રવૃત્તિઓ સમજવા માટે હોસ્ટેલમાં પહોંચ્યા. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓનો દિવસ શરૂ થઈ જાય છે. સવારે 6 વાગે બેલ વગાડવામાં આવ્યો અને બેલના ટકોર વિદ્યાર્થીઓ ઉઠ્યા.
વિદ્યાર્થીએ સાફ-સફાઈ જાતે જ કરવી પડે
તો વહેલી સવારે પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓનો દિવસ શરૂ થયો. ઉત્તરાયણને કારણે ઘણા વિદ્યાર્થીઓ વતન ગયા હોવાને કારણે સંખ્યા ઓછી હતી. પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓનું શ્રમકાર્ય હોય છે. એટલે કે વિદ્યાર્થીએ સાફ-સફાઈ જાતે જ કરવી પડે છે.
રોટલી પણ હાથે જ વણવી પડે છે
વિદ્યાર્થીઓ ભોજન માટે રોટલી પણ હાથે જ વણવી પડે છે. અમે પણ રોટલી વર્ણવા પર હાથ અજમાવ્યો. આ કાર્ય ખરેખર અદભૂત છે. આ તો વાત થઈ વિદ્યાર્થીઓની હોસ્ટેલની. અમે વિદ્યાર્થિનીઓની હોસ્ટેલમાં પણ પહોંચ્યા. વિદ્યાર્થીઓની માફક વિદ્યાર્થિનીઓનો દિવસ પણ વહેલી સવારે પ્રાર્થનાથી શરૂ થાય છે. અને તેમણે પણ શ્રમકાર્ય કરવું પડે છે.
સમૂહ પ્રાર્થના અને રેંટિયા કાતણ પણ કરે છે વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓની સવાર પડી ગઈ હતી. પ્રાર્થના, ત્યારબાદ શ્રમકાર્ય. અને હવે વિદ્યાર્થીઓ પોતાનું નિત્યક્રમ મુજબનું કાર્ય પતાવશે. સમય સવારે 10 વાગ્યાની આસપાસનો થયો હશે. અને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ કાર્ય માટે હોસ્ટેલમાંથી નીકળ્યા. સૌથી પહેલા તેઓ સમૂહ પ્રાર્થના અને રેંટિયા કાતણ કરશે. કે જેને
. ઉપાસનામાં વિદ્યાર્થીઓ પહેલા પ્રાર્થના કરે છે. અને ત્યાર પછી રેંટિયા કાતણ. ગાંધીજી પણ રેટિંયો કાંતતા હતા. અને ગાંધીની પરંપરાને ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જાળવી રાખી છે.