ગુજરાત વિધાનસભાનું સત્રનો સોમવારથી પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે 5 દિવસના સત્રમાં કુલ છ બેઠકો યોજાશે. જેમાં સરકાર દ્વારા 21 વિધેયકો પસાર કરવામાં આવશે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં હોસ્પિટલની બેદરાકીરથી 5 નિધન થયા હોવા અંગેની રાજ્ય સરકારે વિધાનસભામાં જાણકારી આપી છે.
ગુજરાત વિધાનસભાના પાંચ દિવસ ટૂંકા સત્રનો આજથી પ્રારંભ થઇ ગયો છે. ત્યારે રાજ્યમાં સરકારી હોસ્પિટલની સ્થિતિ અંગે જાણકારી મળી છે. સરકારે વિધાનસભામાં જવાબ આપતા કહ્યું કે સરકાર હોસ્પિટલમાં બેદરકારીથી 5નાં મૃત્યું થયા છે. જેમા સમયસર સારવાર ન મળવી, તેમજ સ્ટાફની અછતનું મુખ્ય કારણ હોવાનું જણાવ્યું છે.
જો કે સરકાર દ્વારા આ કેસમાં માત્ર એક જ કેસમાં સસ્પેન્સનના પગલા લેવામાં આવ્યા છે તે જણાવામાં આવ્યું છે. જો કે અન્ય કિસ્સાઓમાં સરકારે બદલી કરીને સંતોષ માન્યો હોવા અંગે જણાવ્યું છે. સરકારના જણાવ્યાં અનુસાર 2014-15માં બેદરાકીરથી 1વ્યક્તિનું જ્યારે 2017-18માં બેદરકારીથી 4 વ્યક્તિના નિધન થયા છે.
ગુજરાતની સરકારી શાળાઓની દયનીય સ્થિતિ
ગુજરાત વિધાનસભા સત્રમાં રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકો-આચાર્યોની ખાલી જગ્યાને લઇને ગૃહમાં પ્રશ્નોતરીમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યાં આંકડા મુજબ ગુજરાતના 33 જિલ્લામાં 1869 આચાર્યોની જગ્યા ખાલી છે. ગણિત-વિજ્ઞાન વિષયના કુલ 1 હજાર 49 શિક્ષકોની જગ્યા ખાલી છે. અંગ્રેજી વિષયના શિક્ષકની 601 જગ્યા ખાલી છે.
ગૃહમાં પ્રશ્નોતરીમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપતા કહ્યું કે અંગ્રેજી વિષયના 601 શિક્ષકોની જગ્યા ખાલી, જ્યારે ગણિત-વિજ્ઞાનમાં 1049 શિક્ષકોની જગ્યા ખાલી હોવાની આંકડાકીય માહિતી આપી છે.
ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ટર્ન તબીબો નથી આપવા માંગતા સેવા
સોમવારથી શરૂ થયેલા વિધાનસભા સત્રમાં સરકારે ઇન્ટર્ન તબીબોને લઇને પૂછવામાં આવેલા સવાલમાં જણાવ્યું કે રાજ્યમાં ઇન્ટર્ન તબીબો ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવામાં નિરસતા દાખવી રહ્યાં છે. સરકારે લેખિત જવાબમાં કહ્યું કે નિમણૂંકવાળા 77 ટકા ઇન્ટર્ન તબીબો ફરજ પર હાજર ન થયા. સરકાર દ્વારા 5 વર્ષમાં 2714 ઇન્ટર્ન તબીબોની નિમણૂંક કરાઇ છે. 2714માંથી 2068 તબીબો ફરજ પર હાજર થયા નથી. સરકારના આંકડા મુજબ 5 વર્ષમાં રાજ્યમાંથી 4539 તબીબોએ MBBSની ડિગ્રી મેળવી.
ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકની ઘટ
વિધાનસભા સત્રમાં શાળાઓની શિક્ષકોની ઘટને લઇને પૂછવામાં આવતા સવાલના જવાબમાં જણાવ્યું કે માધ્યમિક શાળામાં જરૂરિયાત કરતા 2707 શિક્ષકો ઓછા જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4 હજાર 484 શિક્ષકો ઓછા હોવાની માહિતી આપી.
સરકારી વહીવટી અધિકારીઓની જગ્યાઓ ખાલી
ગુજરાત વિધાનસભાનું આજથી 5 દિવસનું ટૂકા સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે રાજ્યમાં સરકારી વહીવટી અધિકારીઓની ખાલી જગ્યાઓને લઇને વર્ગ-1ના જુનિયર અધિકારીની 196 જગ્યા ખાલી તેમજ વર્ગ-1ના સિનિયર અધિકારીઓની 46 જગ્યા ખાલી છે. સિનિયર અધિકારીઓ માટે 190નો મહેકમ મંજૂર થયેલો છે. વર્ગ-1માં ખાલી જગ્યાઓમાંથી 49ની સીધી ભરતી થશે. વર્ગ-1ના સિલેકશન સ્કેલમાં 69નો મહેકમ જેની સામે 43 જગ્યા ખાલી છે. રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો.