ગુજરાત વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરવાને લઇને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને માગ કરી છે. હાલ રાજ્યમાં વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરવામાં નહીં આવતા કોંગ્રેસના નેતા તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા દ્વારા લાઇવ કરવાની માગ કરવામાં આવી છે .
ગુજરાત વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવા માંગ
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ CMને લખ્યો પત્ર
લોકસભા-રાજ્યસભામાં જીવંત પ્રસારણ તો ગુજરાતમાં કેમ નહીં?
કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ પત્ર દ્વારા ગુજરાત વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરવા માગ કરી છે. આ મામલે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને સવાલ કરતા કહ્યું કે જ્યારે લોકસભા અને રાજ્યસભાનું લાઇવ પ્રસારણ થઇ શક્તું હોય તો ગુજરાતમાં કેમ ના થઇ શકે.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે જો વિધાનસભાનું લાઇ પ્રસારણ થાય તો ધારાસભ્ય પ્રજાના પ્રશ્નોને વધુ ગંભીરતાથી રજૂ કરી શકશે. આ સાથે જ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં એડિટ કરીને દર્શાવવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે.