ગુજરાત વિધાનસભામાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં 8થી વધુ ધારાસભ્યો અને 10 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે હવે વિધાનસભા અધ્યક્ષ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિધાનસભા સંકુલની તમામ ઓફિસોમાં ગૃહનું જીવંત પ્રસારણ બંધ
કોરોના સંક્રમણ વધતા વિધાનસભા અધ્યક્ષે લીધો નિર્ણય
ગૃહની કામગીરી જોવા કર્મચારીઓ ટીવી નજીક ટોળે વળતા હતા
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સંકુલની તમામ ઓફિસોમાં ગૃહનું જીવંત પ્રસારણ બંધ રાખવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ વધતા વિધાનસભા અધ્યક્ષે આ નિર્ણય લીધો છે.
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લેવાયો નિર્ણય
ગૃહની કામગીરી જોવા કર્મચારીઓ ટીવી નજીક ટોળે વળતા હતાં. આથી કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ વધવાના જોખમને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ગાંધીનગર સર્કિટ હાઉસમાં પણ થયો છે કોરોના વિસ્ફોટ
ગાંધીનગરમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ થયો છે. સર્કિટ હાઉસના મેનેજર સહિત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ થઈ ગયુ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં સરકારી કચેરીઓમાં કોરોનાનું મોટા પ્રમાણમાં સંક્રમણ જોવા મળી રહ્યુ છે.
ગાંધીનગરમાં સેક્શન અધિકારીનું થયું છે મોત
ગુજરાતમાં ધીરે ધીરે ગાંધીનગરમાં કોરોનાએ પગ પેસારો કરી રહ્યો છે. સર્કિટ હાઉસમાં 14 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે એક સરકારી અધિકારીનું મોત થયુ છે. ગાંધીનગરમાં સેક્શન અધિકારીનું કોરોનાથી મૃત્યુ થયુ છે. સામન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા સેક્શન અધિકારીનું કોરોનામાં મોત થતાં સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કિરીટ સાયમન સક્સેનાનું કોરોનાથી અવસાન થયુ છે. અધિકારીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2252 કેસ નોંધાયા છે અને 1731 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,86,577 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 8 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4500 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.રોજ આ આંકડો વધી રહ્યો છે.તેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે.
છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે થઇ રહ્યો છે વધારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. 27 માર્ચના રોજ રાજ્યમાં 2276 કેસ, 28 માર્ચે 2270 કેસ અને આજે 29 માર્ચે 2252 નવા કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે.