આજે ગુજરાતના ઈતિહાસમાં કાળા પ્રકરણ તરીકે લોહીની શાહીથી લખાયેલ ગોધરાકાંડ મામલે જસ્ટીસ નાણાવટી તપાસ પંચનો બીજો ભાગ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સ્વ. હરેન પંડ્યા, સ્વ. અશોક ભટ્ટ, ભરત બારોટને ક્લીન ચીટ આપવામાં આવી હતી તે સાથે જ બીજા પણ કેટલાક મહત્વના મુદ્દા જાહેર કરવામાં આવ્યા હતા.
5000 પાનાનો નાણાવટી પંચનો અહેવાલ વિસ્તૃત વાંચવો ઘણો અઘરો છે પરંતુ ટુંકમાં અહેવાલનો સાર સમજવો હોય તો વાંચો આ પંદર પોઈન્ટ
ગોધરા હત્યાકાંડ બાદ થયેલા રમખાણ પૂર્વ આયોજિત કાવતરું ન હતું
ગોધરાકાંડ તોફાનમાં કોઈ રાજકીય આગેવાનની સંડોવણી નહીં