ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યુ છે. ચોમાસા સત્ર દરમિયાન પાક વીમા યોજાનાને લઈને સવાલ કરાયો હતો ત્યારે હવે ખેડૂતો કરતા વીમા કંપનીઓને લાભાલાભના આંકડા સામે આવ્યા છે. ખાનગી વીમા કંપનીઓને સરકાર અને ખેડૂતોએ અબજો રૂપિયા ચૂકવ્યા હોવાનુ સામે આવ્યુ છે.
કંપનીઓને 28.67 અબજ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. ખેડૂતોએ વીમા કંપનીઓને 4 અબજ રૂપિયા ચૂકવ્યા છે. રાજ્ય સરકારે 12.36 અબજ રૂપિયા વીમા કંપનીઓને ચૂકવ્યા છે. જ્યારે કેન્દ્ર સરકારે 12.36 કરોડ રૂપિયા વીમા કંપનીઓને ચૂકવ્યા છે. હાલમાં વીમા કંપની અને ખેડૂતોને માત્ર 20.30 અબજ રૂપિયની ચૂકવણી કરી છે.
વિધાનસભામાં રાજ્યમાં ગરીબો મુદ્દે પ્રશ્નમાં ચોંકાવનારી વિગતો
ગુજરાત સરકાર વિકાશીલ ગુજરાતની વાતો કરે છે, મોટા-મોટા બણગા ફેંકે છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ વધી રહ્યું છે. વિધાનસભામાં રાજ્યની ગરીબી મુદ્દે પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ અંગેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે પ્રમાણે, રાજ્યમાં હાલ 30 લાખ પરિવારો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.
તેમાં પણ છેલ્લા બે વર્ષમાં ગીરીબ પરિવારોની સંખ્યામાં 7,131 નો વધારો થયો છે. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 4174 BPL પરિવારો નોંધાયા છે. જોકે તેની સામે વડોદરામાં માત્ર બે જ પરિવાર નોંધાયા છે. જ્યારે મહેસાણા, છોટાઉદેપુર, પોરબંદર, નર્મદા, ગાંધીનગર અને પંચમહાલ જિલ્લામાં એકપણ પરિવાર BPLમાં નથી નોંધાયો.
મગફળી-તુવેરની ખરીદીમાં ગેરરીતિના મામલે ગૃહમાં સરકારે રજૂ કર્યો જવાબ
મગફળી અને તુવેરની ખરીદીમાં કરોડોનાં ભેળસેળીયા કાંડને લઈને સરકાર પર વારંવાર સવાલો ઊઠી રહ્યા છે. આજે કોંગ્રેસના ધારાસભ્યએ પુછેલા સવાલનો ગૃહમાં સરકારે જવાબ આપ્યો છે. સરકાર તરફથી મળેલા જવાબ પ્રમાણે, છેલ્લા બે વર્ષમાં મગફળી અને તુવેરની ખરીદીમાં ગેરરીતિની ફરિયાદો મળી છે.
જેમાં સૌથી વધુ જૂનાગઢ અને ગીર સોમનાથમાંથી 26 ફરિયાદ સામે આવી છે. જોકે આ ફરિયાદો મળતાની સાથે જ સરકારે નાફેડ, પુરવઠા નિગમ અને સ્થાનિક તંત્રને કાર્યવાહી માટે ફરિયાદો મોકલી આપી છે.