રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે એક બાદ એક પ્રતિબંધો લાગૂ કરવામાં આવી રહ્યા છે. તો આ તરફ વિધાનસભા ગૃહમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
ધારાસભ્યોને કોરોનાનું ગ્રહણ
8 ધારાસભ્યોને થયો કોરોના
10થી વધુ કર્મીઓ કોરોનાગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે, રાજ્યના એક બાદ એક 8 ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થયાં છે. આ ઉપરાંત વિધાનસભામાં કામ કરતા 10થી વધુ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આજના દિવસની વાત કરવામાં આવતે તો એક જ દિવસમાં 3 ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
અત્યાર સુધીમાં 8 ધારાસભ્યો આવ્યા કોરોનાની ઝપેટમાં આવ્યા
કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને વિધાનસભામાં મુલાકાતીઓ માટે પ્રતિંબધ લાદવામાં આવ્યો છે. તો હવે અધિકારી અને MLA સિવાય અન્ય કોઇને પ્રવેશ નહીં આપવામાં આવે. અધ્યક્ષની ચેમ્બરમાં મળેલી બેઠકમાં તાબડતોબ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોંગ્રેસે કરી વિધાનસભાનું બજેટ સત્ર રદ્દ કરવાની માગ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કોરોના સંક્રમણ મુદ્દે નિવેદન આપ્યું છે. અગાઉ તેમણે કહ્યું હતુ કે, વિધાનસભા રદ્દ કરવાની માગ કરી હતી. હાલ ગાંધીનગરમાં ચૂંટણી હોવાથી સરકાર માગ ન સ્વીકારતી હોવાના આક્ષેપો કોંગ્રેસના ધારાસભ્યએ લગાવ્યા છે. જણાવી દઇએ કે, કોંગ્રેસના પણ હાલ 2 ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થયા છે.
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા
રાજ્યમાં દિવસેને દિવસ કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. સોમવારે અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક કેસ નોંધાતા ચિંતા વધી હતી ત્યારે ગત 24 કલાકમાં કોરોનાના 1730 કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં 1255 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,77,603 કોરોના મુક્ત થયાં છે. તો 4 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4458 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.