છેલ્લા કેટલાક દિવસોથી નવરાત્રીના આયોજનને લઇને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. તેવામાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ નવરાત્રીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રાજ્યકક્ષાનો નવરાત્રી કાર્યક્રમ નહીં યોજાય.
રાજ્યમાં નવરાત્રીને લઇ મોટા સમાચાર
આ વર્ષે નહી યોજાય વાયબ્રન્ટ નવરાત્રી
CM રૂપાણી દ્વારા લેવાયો નિર્ણય
કોરોના સંકટમાં રાજ્યકક્ષાના પરંપરાગત નવરાત્રી મહોત્સવનું આયોજન ન કરવા CM રૂપાણી દ્વારા નિર્ણય લેવાયો છે. રાજ્યમાં આ વર્ષે રાજ્યકક્ષાએ થતું નવરાત્રીનું આયોજન નહીં થાય. કોરોનાના કારણે 17થી 25 ઓક્ટોબર દરમિયાન થનાર વાયબ્રન્ટ નવરાત્રી કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. સરકારે જે દરવર્ષે આયોજન કરતી હતી તે આ વર્ષે નહીં થાય. જોકે હજુ સુધી રાજ્યમાં નવરાત્રીનું આયોજન થશે કે નહીં તે અંગે નિર્ણય નથી લેવાયો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા યોજાતા નવરાત્રી મહોત્સવને રદ્ કરાતા એવું માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં નવરાત્રી ન યોજાવાની શક્યતાઓ છે.