વલસાડ જિલ્લાના સરીગામના રહેવાસીઓનું જીવન નર્કથી બદ્તર થઈ રહ્યુ છે કારણ કે, પ્રદુષણનું પ્રમાણ રાજકુમારીની વાર્તાની જેમ દિવસે નથી વધી રહ્યુ એટલુ રાતે વધી રહ્યુ છે અને રાતે નથી વધી રહ્યુ એટલુ દિવસે વધી રહ્યુ છે. ત્યારે ગ્રામપંચાયચના સભ્યો એ જ GIDCમાં આવેલી PNP પોલીમર કંપની વિરૂધ્ધ ફરિયાદ કરી છે.
જીપીસીબી ( GPCB )ને લેખિત ફરિયાદ
હવા પ્રદુષણ અને ધ્વનિ પ્રદૂષણને કારણે આસપાસના લોકો ને તકલીફ
પ્રદૂષિત પાણીને સીધું જ જમીનમાં ઉતારવામાં આવે છે
વલસાડ જિલ્લાના ઉમરગામ સરીગામ જી.આઇ.ડી.સી. ( GIDC )માં આવેલી એક કંપની વિરુદ્ધ સરીગામ ગ્રામ પંચાયત ના એક સભ્ય એ લેખિત ફરિયાદ કરતાં ચકચાર મચી ગઇ છે. સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા આહિર ફળિયા નજીક આવેલી PNP પોલીમર નામની કંપની વિરુદ્ધ સરીગામ ગ્રામ પંચાયતના સભ્ય આશિષ આહીર એ કંપની વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે જીપીસીબી ( GPCB )અને લેખિત ફરિયાદ કરી છે.
હવા પ્રદુષણ અને ધ્વનિ પ્રદૂષણને કારણે આસપાસના લોકો ને તકલીફ
મહત્વપૂર્ણ છે કે દોઢ વર્ષ અગાઉ શરૂ થયેલી આ કંપનીનો શરૂઆતથી જ સ્થાનિક લોકો વિરોધ કરતા હતા. કંપની રહેણાંક વિસ્તારની નજીક આવેલી હોવાથી કંપનીથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી છે. સાથે જ હવા પ્રદુષણ અને ધ્વનિ પ્રદૂષણને કારણે આસપાસના લોકો ને તકલીફ પડી રહી છે.
પ્રદુષિત પાણી સીધુ જમીનમાં ઉતારાય છે
ગ્રામ પંચાયતના સભ્ય એ કંપની પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે, કંપની દ્વારા પ્રદૂષિત પાણીને સીધું જ જમીનમાં ઉતારવામાં આવી રહ્યું છે. જેને કારણે આગામી સમયમાં કંપનીની આસપાસના વિસ્તારના ભૂગર્ભજળની પ્રદૂષિત થશે. સાથે જ ખેતીને પણ મોટું નુકસાન થવાના આક્ષેપ કર્યા છે.
શું કહે છે GPCB ?
જીપીસીબી ( GPCB )ને લેખિત ફરિયાદ કરી આ મામલાને ગંભીરતાથી લઇ તટસ્થ તપાસ કરી કંપની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે ગ્રામ પંચાયતના સભ્ય કંપની વિરુદ્ધ ફરિયાદ કરવાની આ ઘટનાને લઇ. સરીગામ જીપીસીબી ( GPCB )એ પણ આ બાબતને ગંભીરતાથી લઈ કંપનીમાં તપાસ કરી અને સેમ્પલ લીધા છે. જીપીસીબી ( GPCB )એ કંપનીની અંદર થી લીધેલા પાણી ના સેમ્પલ ના રિપોર્ટ બાદ જ સત્ય હકીકત બહાર આવશે તેવું જીપીસીબી ( GPCB )ના અધિકારીઓ જણાવી રહ્યા છે.