વડતાલ સ્વામીનારાયણ મંદીરના સ્વામી દ્વ્રારા સગીર ઉપર 40 વાર સૃષ્ટીવિરુધ્ધ કૃત્ય આચર્યુ હતુ. આ જઘન્ય અપરાધમાં વડતાલના જ બીજા બે સ્વામીઓએ તેને સપોર્ટ કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. સગીરના પિતાએ આ અંગે એફઆઈર કરી છે. તેમણે એફઆઈઆરમાં સભ્ય સાધુ સમાજની લંપટ લીલાઓને સરાજાહેર કરી છે.
કિશોર સંસ્કૃત શાળામાં અભ્યાસ માટે વડતાલ શાળામાં આવ્યો હતો
40 વાર કિશોર સાથે સ્વામીએ આચર્યુ હતુ જઘન્ય કૃત્ય
મંદીરના અન્ય સ્વામીઓમાંથી કોઈએ નહોતી કરી મદદ
સાધુ છે કે શૈતાન? વડતાલના સાધુઓએ સંસારીઓને પણ લજાવે તેવું કામ કર્યુ છે. ત્યાગ સમર્પણની વાતો આ સાધુઓ માટે એ સબ બસ બાતે હૈ બાતો કા ક્યાં? ની જેમ શીક્ષાપત્રીને ઘોળીને પી જનારા આવા દૈત્યથીય વરવા સાધુને તેના જ સાધુ સાગરીતોએ મદદ કરી હતી. સ્વામીનારાયણ સમાજમાં લાંછન સ્વરૂપ સુવ્રત સ્વામી અને તેમના મળતીયા દેવ સ્વામી અને વલ્લભ સ્વામી જે દિવસે આ ઘટના સામે આવી ત્યારથી ફરાર છે.
શું કહ્યું કિશોરે
સુવ્રત સ્વામી ગુરુ સંભવ સ્વામી સાથે છેલ્લા ચાર મહિનાથી પાર્ષદ બનીને રહેતો હતો. હું સ્વામીનું તમામ કામ કરતો હતો. કચરા પોતા, વાસણ, તેમના ચરણ દબાવવા. મને તેમની રૂમમાં સુવા માટે મજબૂર કરતા એટલું જ નહીં પરંતુ મારે તેમના તમામ કામ કરવાના રહેતા અને રાતે તેઓ નગ્ન થઈ સુઈ જતા. અને તેમની મરજી પડે એટલે મારી સાથે એ ગંદુ કામ કરતા. મેં આ વિશે જ્યારે સુવ્રત વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી ગુરુ નિલકંઠ ચરણ સ્વામી અને કોઠારી સંત વલ્લભ સ્વામીને વાત કરી તો તેમણે મને મોં બંધ રાખી સ્વામી જે કહે છે તે કરવાનું કહી દીધુ હતુ
.
સ્વામી કહેતા મહિલાઓના નંબર લઈ આવ
સ્વામી મને મંદિરમાં આવતી સાંખ્ય બહેનો પાસેથી તેમના ફોન નંબર લઈ આવવાનું કહેતા અને તેમને મેસેજ પહોંચાડવાનું કહેતા કે, તેમને કહેજો કે ક્યારેક સ્વામી તમને સેવાનો લાભ આપશે. એટલુ જ નહીં મંદિરના અન્ય સ્વામી પણ મને આ રીતે સુંદર છોકરીઓના નંબર લાવી આપવાનું કહેતા હતા. મને જ નહીં સાવલી મંદિરમાં ભોજનબનાવનારને પણ સ્વામી રૂપાળી મહિલાોના મોબાઈલ નંબર લઈ આવવાનો ટાસ્ક સોંપતા હતા.
કોણ છે સગીર
આ કિશોર સુરતના આ સગીરે એપ્રિલ 2019માં 11માં ધોરણમાં વડતાલ સ્વામીનાયારણ મંદિરમાં આવેલી લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ લીધો હતો. ત્યારે તેને સુવ્રત સ્વામી ગુરુ સંભવ સ્વામી સાથે પાર્ષદ તરીકે રહેતો હતો.
કેવી રીતે થઈ પિતાને જાણ
14મી ઓગષ્ટના રોજ કિશોરના પિતાને ચાઈલ્ડ વેલ ફેરમાંથી ફોન આવ્યો હતો કે તમારા દીકરા સાથે સૃષ્ટીવિરુધ્ધનું કામ થયું છે. અને મારો દીકરો ધ્રુસકેન ધ્રુસકે રડી પડ્યો હતો. સ્વામીની સેવા એ મોક્ષનો માર્ગ છે પણ આવી સેવા? પ્રભુ ભક્તિને નામે આવા જઘન્ય કૃત્યો કરનારને તો જેટલી સજા થાય તેટલી ઓછી છે. આવા અધમીઓને કારણે જ સાધુ સમાજ ઉપર લાંછન લાગે છે.