સ્વામીનારાયણ સ્વામીએ ભગવાને લાંછન લગાવ્યુ છે. ખેડાના વડતાલ મંદિરે પાર્ષદ તરીકે રહેતા કિશોર સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.
ખેડાના વડતાલ સ્વામીનારાયણ મંદિરના 3 સ્વામી સામે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યનો ગુનો નોંધાયો છે. સુવ્રત સ્વામી, દેવ પ્રકાશ સ્વામી અને વલ્લભ સ્વામી ઉપર આરોપ છે કે તેમણે એક પાર્ષદ સાથે ન કરવાનું કામ કર્યુ છે. એટલું જ નહીં પરંતુ ધમકી પણ આપી છે કે અગર પાર્ષદે આ વાત કોઈને કહી તો તે જીવથી જશે. પરંતુ આ વાત પાર્ષદના વાલી સુધી પહોંચી જતા મામલો બિચક્યો હતો.
કિશોર વડતાલના સ્વામીનારાયણ મંદિરની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરો હતો અને સ્વામીઓ સાથે પાર્ષદ તરીકે રહેતો હતો. સંયમ અને ત્યાગ સમર્પણના પાઠ આપતા આપતા આ સ્વામીઓએ કિશોર સાથે અલગ અલગ જગ્યાએ સૃષ્ટિ વિરુદ્ધનું ગંદુ કામ કર્યુ હતું.
કિશોર સાથે વારંવાર આવું કામ કરીને કિશોરને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને પણ જણાવશે તો સ્વામીઓ તેને જાનથી મારી નાંખશે. જો જીવ વાલો હોય તો ચૂપચાપ તાબે થા. નહીં તો જીવથી જા. પરંતુ કિશોરના માતા-પિતા સુધી આ વાત પહોંચી ગઈ હતી અને કિશોરના પિતાએ તુરંત જ પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
કિશોરના પિતાએ બળાપો ઠાલવ્યો હતો કે, સંસ્કારધામને સ્વામીઓએ પોતાના પ્રમાદનું સાધન બનાવી દીધુ છે એક નહીં પરંતુ ત્રણ ત્રણ સ્વામીઓ પોતાનો ભગવો લજવી રહ્યા છે. માતા-પિતા પોતાના બાળકોને સ્વામીનારયણ સંકુલમાં સંસ્કારના સિંચન માટે મોકલે છે પણ આ સ્વામીઓએ તો હદ વટાવી.