દેશભરમાં કોરોના વાયરસની મહામારીના કહેર વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ અનલોકમાં ધીરે-ધીરે છૂટછાટ આપવામાં આવી. ત્યારે હાલ Unlock-4માં જેની રાહ જોવાઇ રહી હતી તે બગીચાઓ ખોલી દેવામાં આવ્યાં છે. આમ ગાર્ડન પ્રેમી શહેરીજનો માટે મહત્વના સમાચાર આવ્યાં છે.
આજથી તમામ બાગ બગીચાઓ થયા શરૂ
કોરોના સંક્રમણને લઇ બગીચા બંધ કરાયા હતા
ગાર્ડનમાં સામાજિક અંતરનું પાલન ફરજિયાત
કોરોનાના કારણે છેલ્લા 4 મહિનાથી વધુ સમયથી બંધ ગાર્ડન ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રની ગાઇડલાઇન મુજબ ગાર્ડન ફરી ખોલી દેવાયા છે. ત્યારે અમદાવાદના 258 ગાર્ડન લોકો માટે ખુલ્લા મુકાયા છે.
ત્યારે આ દરમિયાન અમદાવાદ મનપા દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરાઇ છે. અને ગાર્ડનમાં સવાર સાંજ સેનેટાઇઝેશન કરવાનો પણ નિર્ણય કરાયો છે. સાથે જ લોકોની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રખાશે.
આજથી બગીચા ખુલવાને લઇને મહત્વના સમાચાર મળી રહ્યાં છે. આજથી શહેરના તમામ બાગ-બગીચા શરૂ થઇ ગયા છે. કોરોના સંક્રમણને લઇ બગીચા બંધ કરવામાં આવ્યા હતા
જો કે Unlock-4માં હવે બગીચા ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે બગીચામાં સામાજિક અંતરનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. જ્યારે દરેક વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.