ગુજરાતમાં આજથી અનલોકને લઇને રાજ્યભરમાં નવી ગાઇડલાઇન મુજબ છૂટછાટ સાથે દિવસનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ AMC ની ગાઇડલાઇન મુજબ શહેરના છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવેલા બ્રિજને ખુલ્લા મુકવામાં આવ્યાં છે. શહેરના ખુલ્લા મુકવામાં આવેલા બ્રિજ પરથી વાહન વ્યવહાર શરૂ થઇ ગયો છે. જો કે શહેરનો જમાલપુર બ્રિજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવતો હોવાથી હજુ પણ બંધ રાખવામાં આવ્યો છે.
અમદાવાદના તમામ બ્રીજ આજથી ખુલ્લા મૂકાયા
અઢી મહિના બાદ અમદાવાદ ફરી ટ્રાફિકથી થયું ધમધમતું
અત્યાર સુધી કોરોનાને કારણે મોટાભાગના બ્રીજ બંધ હતા
રાજ્યમાં આજથી અનલોક-1 નો પ્રથમ દિવસ શરૂ થઇ ગયો છે. અમદાવાદ શહેરના તમામ બ્રીજ આજથી ખુલ્લા મુકવામાં આવશે. શહેરમાં અઢી મહિના બાદ ટ્રાફિકથી ધમધમી ઉઠતા દેખાઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોરોનાને કારણે મોટાભાગના બ્રીજ બંધ હતા.
અમદાવાદ શહેરમાં આજથી તમામ બ્રીજ ખુલ્લા મુકવામાં આવ્યાં છે. દેશભરમાં આજથી અનલોક-1 લાગુ કરવામાં આવતાં શહેરના મોટાભાગના બ્રીજ શરૂ કરવામાં આવ્યાં છે.
જો કે જમાલપુર બ્રિજ કન્ટેનમેન્ટ ઝોન હોવાથી બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે. જમાલપુર બ્રિજ બંધ રહેતા વાહનચાલકો પરત ફરી રહ્યા હતા તેવુ જોવા મળ્યું છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો જમાલપુર બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે. જો કે શહેરના બાકી સાબરમતી નદી પરના બ્રિજ ખોલી દેવામાં આવ્યાં છે.