ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટર દ્વારા સંશોધન મુજબ કોરોનાની ત્રીજી વેવ અંગે મોટું અનુમાન, ભારતમાં બીજી અને ત્રીજી લહેર વચ્ચે 2 મહિનાનો સમય લાગી શકે છે
કોરોના વાયરસની ત્રીજી લહેરને લઇ મોટા સમાચાર
કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટ મહિનામાં આવે તેવું અનુમાન
ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ વિભાગનું અનુમાન
કોરોના વાયરસની ત્રીજી લહેરને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટ મહિનામાં આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ વિભાગ દ્વારા આ અનુમાન કરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસના વેરિએન્ટ પર યુનિવર્સિટીએ રિસર્ચ કર્યું છે. રિસર્ચ કરી કોરોના વાયરસ પર એક રીવ્યુ આર્ટિકલ પણ લખ્યો છે. જે પ્રમાણે ભારત-ગુજરાતમાં રહેલો વાયરસ સ્પેનના સ્ટ્રેનને અનુસરી રહ્યો છે. અને સ્પેનમાં જે રીતે વાયરસ ફેલાયો તે જ રીતે આપણે વાયરસ ફેલાયો હોવાનો પણ દાવો કર્યો છે.
તમામ લહેર વચ્ચે એક અંતર જોવા મળ્યું છે
ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ વિભાગ દ્વારા સંશોધન બાદ જાહેર આર્ટિકલ પ્રમાણે વાઈરસની તમામ વેવ વચ્ચે એક અંતર જોવા મળ્યું છે. સ્પેનમાં પહેલી અને બીજી લહેર વચ્ચે અઢી મહિનાનો સમય હતો. તો આપણે ત્યાં બીજી વેવ વચ્ચે ફક્ત 45 દિવસમાં આવી હતી. સ્પેનમાં બીજી અને ત્રીજી લહેર વચ્ચે સાડા 3 મહિનાનો સમય રહ્યો હતો. જેના આધારે કહેવાયું છે કે, ભારતમાં બીજી અને ત્રીજી લહેર વચ્ચે 2 મહિનાનો સમય લાગી શકે છે. ગુજરાત યુનિવર્સિટીએ રિપોર્ટ ભારત સરકારને મોકલ્યો છે.
ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કોરોનાની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે કહ્યું, દેશભરમાં કોરોનાની ત્રીજા વેવની શકયતા દર્શાવવામાં આવી રહી છે. આ શકયતાના પગલે ગુજરાતમાં પણ સરકાર પૂરતી સારવારનું આયોજન કરી રહી છે. નાના બાળકોમાં સંક્રમણની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલની તૈયારી રાજ્ય સરકાર યથાવત રાખશે. વડનગરમાં બાળકો માટે 50 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણા સિવિલમાં બાળકો માટે વેન્ટીલેન્ટર સહિતની સુવિધા કરાશે.