કોરોના સંક્રમણની શક્યતાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર હાલ શાળાઓ ખોલવા પર વિચાર નથી કરી રહી. તેવામાં હવે ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓને વધુ એક વિકલ્પ આપવામાં આવશે.
કોરોના સંકટને લઇને ગુજરાત યુનિ.એ લીધો નિર્ણય
આગામી સમયમાં ઓફલાઇન પરીક્ષાની નવી તારીખો જાહેર થશે
વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે
કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત યુનિવર્સિટીની 21 ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષાઓ મોકૂક રાખવામાં આવી છે. અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં પરીક્ષા લેવાની હતી. જોકે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે. ઓફલાઇન પરીક્ષાઓની નવી તારીખ આગામી સમયે નક્કી થશે. વિદ્યાર્થી હિતમાં યુનિવર્સીટી વધુ એક વિકલ્પ પણ આપશે. જેમાં નવો વિકલ્પ ઓફલાઇન ઓનલાઇન સિવાયનો હશે.
મહત્વનું છે કે, ગુજરાત યુનિવર્સિટીએ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લો અને એજ્યુકેશન વિદ્યાશાખાની યુજી-પીજીની પરીક્ષાઓની તારીખો જાહેર કરી હતી. જે અનુસાર, યુજી અને પીજી વિદ્યાશાખાની પરીક્ષાઓ 2 તબક્કાઓમાં 21મી ઓગસ્ટ અને 31મી ઓગસ્ટથી શરૂ થવાની હતી. જેનો સમય સવારે 10થી 12 અને બપોરે 3થી 5 આમ બે તબક્કામાં પરીક્ષા યોજાવાની હતી.