ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુલાઇમાં લેવામાં આવનારી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિક્ષા સંચાલન સમિતિની યોજાયેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાના સંકટને ધ્યાને રાખી ગુજરાત યુનિવર્સિટીનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાત યુનિવર્સિટીની દ્વારા પરીક્ષાઓ કરાઈ મોકૂફ
2 અને 13 જુલાઈથી શરૂ થતી તમામ પરીક્ષા મોકૂફ રખાઈ
કોરોના વાયરસને ધ્યાને લઇ ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. 2 અને 13 જૂલાઇથી શરૂ થતી તમામ પરીક્ષાઓ મોકૂફ રખાઇ છે. પરીક્ષા સંચાલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
આ અગાઉ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જિલ્લામાં પરીક્ષા આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીએ પોતાના જિલ્લામાં પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવાનું ફરજિયાત હતું. જેમાં 14 જૂન સુધીમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવા અંગે જણાવાયું હતું. જેમાં યુનિવર્સિટીની વેબસાઈટ પર પરીક્ષા કેન્દ્ર નક્કી કરવાનું હતું. જો કે કેન્દ્ર નક્કી ન કરનારને નિયત કેન્દ્ર પરથી જ પરીક્ષા આપવી પડે તેવું યુનિવર્સિટી દ્વારા નક્કી કરાયું હતું.