તલાટીની ભરતીમાં 17 લાખ ફોર્મ ભરાયા તે શું ચિંતાની બાબત નથી? રાજ્યમાં બેરોજગારી નથી તેવું સરકાર ક્યા આધારને લઈને કહે છે. ?
રાજ્યમાં બેરોજગારી ચિંતાજનક
3400 જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાયા, 1 જગ્યા માટે 500 દાવેદાર
શું હજુ સરકાર માને છે રાજ્યમાં બેરોગારી નથી
સરકાર કહે છે. અમે ખુબ રોજગારી આપી. પરંતુ ગુજરાતમાં બેરોજગારી કેટલી છે. તેની પોલ આગામી યોજાનાર તલાટીની ભરતી પરીક્ષાએ ખોલી નાખી છે. કારણ કે, 17 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે.
બેરોજગારી ચરમસીમાએ. છતાં સરકાર કહે છે કોઈ બેરોજગાર નહીં!
ચૂંટણી આવી રહી છે. એટલે ગુજરાતમાં સરકારી ખાતાઓમાં ભરતી મેળા પણ શરૂ થયા છે. જેમાં આગામી યોજાનાર તલાટી મંત્રીની પરીક્ષાનો મુદ્દો હાલ ખુબ ચર્ચામાં છે. કારણ કે, માત્ર 3400 જગ્યા માટે 17 લાખથી વધુ યુવાનોએ ઉમેદવારી નોંધાવી છે. એટલે કે, 1 જગ્યા માટે 500 યુવાનોએ ફોર્મ ભર્યા છે. જોકે સરકારી જગ્યા માટે નિયમિત ભરતી ન થતાં આ આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. પરંતુ નવાઈની વાત એ છે કે, સરકારના મંત્રીશ્રી એવું કહે છે કે, પરીક્ષા આપનાર દરેક વ્યક્તિ બેરોજગાર નથી.
સરકારી નોકરી માટેની કેમ વધી માનસિક્તા, શું રાજ્યમાં બેરોજગારી વધી રહી છે
આપણે જાણીએ છીએ કે, કોરોના કાળમાં અને ત્યાર પછી પ્રાઈવેટ સેક્ટરમાં અસંતુલન આવ્યું. કોરોના દરમિયાન લાખો યુવાનોની નોકરી જતી રહી. જોકે ફરી પ્રાઈવેટ સેક્ટરો શરૂ તો થયાં પરંતુ પહેલા જેટલા કર્મીઓ કામ કરી રહ્યા હતા. તેનાથી માત્ર 50 ટકા લોકોને જ ફરી નોકરી મળી છે. તેવામાં સરકારી નોકરી માટે ઉમેદવારોની સંખ્યા વધી છે. જોકે માત્ર 3400 જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાવા પણ ખુબ મોટી ચિંતાની બાબત છે. પરંતુ આ પાછળનું કારણ એ પણ છે કે, પ્રાઈવેટ સેક્ટમાં નોકરીની કોઈ સેફ્ટી નથી. ગમે ત્યારે છુટા કરી શકે છે. અને આજ કારણ પણ છે કે, યુવાનો સરકારી નોકરી ઈચ્છી રહ્યા છે. પરંતુ સરકાર રાજ્યમાં બેરોજગારી ન હોવાના દાવા કરે છે. ત્યારે આ મુદ્દે યુવાનો માટે લડત ચલાવતા વિદ્યાર્થી નેતાઓનું શું કહેવું છે સાંભળો.
કરાર પર લાખો યુવાનોની ભરતી! સરકારી કચેરીઓમાં કાયદેસર ભરતી કેમ નહીં
મહત્વનું છે કે, રાજ્યમાં સરકારી કચેરીઓમાં. .અને સરકારી હોસ્પિટલોમાં સરકાર દ્વારા કરાર આધારે ભરતી કરવામાં આવી રહી છે. અને આ ભરતીમાં પ્રાઈવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જે યુવાનોનું શોષણ કરે છે. ત્યારે સવાલ એ થાય કે, કેમ સરકાર નિયમિત પણે ભરતી નથી કરતી? તલાટીની ભરતીમાં 17 લાખ ફોર્મ ભરાયા તે શું ચિંતાની બાબત નથી? રાજ્યમાં બેરોજગારી નથી તેવું સરકાર ક્યા આધારને લઈને કહે છે. કે આશા રાખીએ કે, ચૂંટણીઓ આવે તે વર્ષોમાં જ ભરતી મેળા ન યોજવામાં આવે. પરંતુ નિયમિત રીતે સરકારી કચેરીઓમાં ખાલી જગ્યાઓ પર ભરતી થાય.