ગુજરાતના વેપારીઓએ 15 ઓગસ્ટ સુધીમાં વેક્સિન લેવી પડશે. જે વેપારીઓએ વેક્સિન નહી લીધી હોય તેને પોલીસ દ્વારા વેપાર કરવા દેવામાં નહી આવે.
16 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના વેપારીઓને લેવી પડશે
વેક્સિન નહી લીધી હોય તો વેપારીઓ ધંધો નહી કરી શકે
રાજ્યમાં 40 ટકા વેપારીઓએ હજુ પણ વેક્સિન નથી લીધી
ગુજરાતમાં હવે 16 ઓગસ્ટ સોમવારથી જે વેપારીઓએ વેક્સિન લીધી હશે તેજ વેપારીઓ દંધો કરી શકશે. જે વેપારીઓએ વેક્સિન નહી લીધી હોય તે વેપારીઓને પોલીસ ધંધો નહી કરવા દે. સરકારના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને સરકારને નિર્ણયને લઈને ઘણા વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
40 ટકા વેપારીઓએ વેક્સિન નથી લીધી
હાલ રાજ્યના વેપારીઓ પાસે માત્ર આજનો અને કાલનો દિવસ બાકી છે. કે જેમા તેઓ વેક્સિન લઈ શકશે. જો આ બે દિવસમાં વેપારીઓ વેક્સિન નહી લે તો તેઓ વેપાર ધંધો નહી કરી શકે. આપને જણાવી દઈએ કે રાજ્યના 40 વેપારીઓ હજુ પણ વેક્સિનથી વંચિત છે. જેથી વેપારીઓને સોમવારથી ભારે મુશ્કેલી પડી શકે છે.
સરકાર દ્વારા સમયમર્યાદા વધારવામાં આવી હતી
અગાઉ રૂપાણી સરકારે 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવાના આદેશ આપ્યા હતા. પરંતુ બદમાં તેમણે 15 દિવસનો સમયગાળો આપીને આ અવધી લંબાઈ દીધી હતી. આ સમય વધારવા માટે પણ વેપારીઓએજ સરકાર સમક્ષ માગ કરી હતી. જેને લઈને સરકાર દ્વારા કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વેપારીઓએ સમયમર્યાદા વધારવાની માગ કરી હતી
વેક્સિન માટે અગાઉ લાંબી લાઈનો લાગતી હતી. જેથી વેપારીઓના ધંધાને ભારે નુકશાન પહોચતું હતું. સાથેજ વેક્સિનની અછતને કારણે વેપારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેને અનુલક્ષીને જિલ્લાના વેપારીઓએ સરકાર સામે વેક્સિનેશનની સમય મર્યાદા વધારવાની રજૂઆત કરી હતી.
હવે ફરજિયાત વેક્સિન લેવીજ પડશે
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જે સમય મર્યાદા આપવામાં આવી હતી તે કાલે સમાપ્ત થઈ રહી છે. જેથી બે દિવસમાં વેપારીઓએ વેક્સિન લેવી પડશે નહી તો તેઓ 16 ઓગસ્ટથી ધંધો નહી કરી શકે.