ગુજરાત ટુરીઝમમાં ધીરે ધીરે તેજી આવી રહી છે. આજે 27 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યટન દિવસ છે ત્યારે ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં 263 ટકાનો વધારો નોંધાયો છે એમાંય સોમનાથ મંદિર, દ્વારકા, અંબાજી, ગીર-સોમનાથ, પાટણીની રાણકી વાવ અને કેવડિયા કોલોની પ્રવાસીઓની પહેલી પસંદ બન્યા છે.
દર વર્ષે 5 લાખ પ્રવાસીઓ સાબરમતી આશ્રમની મુલાકાત લે છે
આ વખતે 45 લાખ લોકોએ સોમનાથ મંદિરના દર્શન કર્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટ બન્યા બાદ 11 લાખ લોકોએ મુલાકાત લીધી
ગુજરાત પાસે લાંબો દરિયાકિનારો છે અને માધાપર- ઘેડ જેવો કોસ્ટલ હાઈવે, માંડવીનો બીચ અને કચ્છનું સફેદ રણ. વળી ડાલામથ્થાના હાકોટા અને પડકારા કરતું ગીર-સોમનાથનું જંગલ તો ગુજરાતને માથે મોર સમાન છે. ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં 263 ટકાનો વધારો થયો છે. ગુજરાતના પ્રવાસન સ્થળોને વર્લ્ડ ટુરિઝમ મેપ પર સ્થાન મળ્યુ છે.
કેવડિયા કોલોનીમાં મુસાફરોનો અજબ ધસારો
સ્ટેચ્યુ ઓફ યુનિટ બન્યા બાદ 11 લાખ લોકોએ મુલાકાત લીધી છે. જ્યારે તેમાં જંગલ સફારી, કેકટ્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, રીવર રાફ્ટીંગ, હેલીપેડ, વગેરે આકર્ષક ફરવાના સ્થળોને લીધે પણ ઘણા લોકો અહીં મુલાકાત લે છે.
હર હર મહાદેવ હર
સોમનાથ મંદિર એ 12 જ્યોર્તિંલીગમાંનું એક છે ત્યારે લાખો શ્રધ્ધાળુઓ વર્ષ દરમિયાન સોમાનથ મંદિરની મુલાકાત લે છે. અહીં દેશ વિદેશથી પર્યટકો પણ આવે છે કારણે કે, દરિયાકિનારે આવેલ આ મહાદેવનું મંદિર કુજરતી સૌદર્ય પણ એટલુ જ ધરાવે છે. આ વખતે 45 લાખ લોકોએ સોમનાથ મંદિરના દર્શન કર્યા હતા.
જૂનાગઢ-ગીરની રોમાંચક સફર છે લોકોની પહેલી પસંદ
ગીરનાર અને ગીર ફોરેસ્ટ ભારતીયો જ નહીં વિદેશીઓની પણ ફેવરેટ જગ્યા છે. વિદેશીઓ પણ અહીં ગિરનાર ચઢવા અને જંગલમાં સિંહને જોવા આવે છે. વળી બીજા રાજ્યોમાંથી પણ લોકો અહીં ફરવા આવવાનું પસંદ કરે છે. દર વર્ષે 7 લાખ પ્રવાસીઓ ગીર-સોમનાથની મુલાકાત લીધી હતી.
હેરીટેજ અમદાવાદ સીટી, સાબરમતી આશ્રમનું વિદેશીઓને આકર્ષણ
સાબરમતી આશ્રમ અને અમદાવાદ પણ વિદેશી પર્યટકોની પહેલી પસંદ છે. સાત લાખછથી વધુ પ્રવાસીઓ દર વર્ષે ગાંધી આશ્રમની મુલાકાતે આવે છે.